સાયલા ખાતે પ્રજ્ઞા ચક્ષુઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

સાયલા ખાતે પ્રજ્ઞા ચક્ષુઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો


સાયલા, તા. 14 ફેબ્રુઆરી, 2021, રવિવાર

તાજેતરમાં સોશ્યલ મીડીયા મહાત્મા લુઈ બ્રેઈલ ગૃપ આયોજીત પ્રજ્ઞાાચક્ષુ વ્યક્તિઓનું સ્નેહમિલન યોજાયું હતું જેમાં ગોંડલ, ભુજ, અમદાવાદ, જામનગર, સુરત સહિતના અનેક જીલ્લામાંથી પ્રજ્ઞાાચક્ષુ ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.અને અલગ-અલગ સ્પર્ધાઓ જેમ કે બ્રેઈલ લીપી વાંચન, સુગમ સંગીત અને લોકસંગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ તાજેતરમાં પ્રજ્ઞાાચક્ષુ વ્યક્તિઓનું સ્નેહમિલન યોજાયું હતું જેમાં રાજ્યભરમાંથી પ્રજ્ઞાાચક્ષુ ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં અને અલગ-અલગ પ્રકારની સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં વિજેતા થયેલા પ્રજ્ઞાાચક્ષુઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે સાયલા આર્શીવાદ વિકલાંગ ટ્રસ્ટના ફીઝીયોથેરાપીસ્ટ સુરેન્દ્રભાઈ તોમર સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3akydG7

0 Response to "સાયલા ખાતે પ્રજ્ઞા ચક્ષુઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel