અમદાવાદ જિલ્લામાં શ્વાન કરડવાના બનાવો વધ્યા છતાં તંત્ર સાવ બેફિકર

અમદાવાદ જિલ્લામાં શ્વાન કરડવાના બનાવો વધ્યા છતાં તંત્ર સાવ બેફિકર


બગોદરા, તા. 17 ફેબ્રુઆરી, 2021, બુધવાર

અમદાવાદ જીલ્લાના હાઈવે સહિત શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં દિન-પ્રતિદિન શ્વાન કરડવાના બનાવો વધી રહ્યાં છે અને અનેક ભોગ બનનાર લોકોને શ્વાને કરડયા બાદ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવે છે રસ્તા પરના રખડતાં તેમજ હડકાયા શ્વાનને રેસ્ક્યુ કરતી વખતે પડતી હાલાકી દુર કરવામાં આવે તેવી માંગ સાથે સામાજીક સંસ્થાએ જીલ્લા કલેકટરને લેખીત રજુઆત કરી હતી.

આ અંગે રજુઆતમાં જણાવ્યાં મુજબ અમદાવાદ તેમજ હાઈવે અને જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડીયામાં અંદાજે ૨૫૦થી વધુ શ્વાન કરડવાના બનાવો બની ચુક્યાં છે અને તે પૈકી અનેક લોકોને સારવાર અર્થે હોસ્પીટલ ખસેડવામાં આવ્યાં હતાં. પરંતુ શ્વાન કરડયા બાદ લોકો દ્વારા તેને મારમારી જાનથી મારી નાંખવાના બનાવો પણ વધી રહ્યાં છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હડકાયા શ્વાનને પકડવા માટે કોઈ જ ટીમ નથી જ્યારે પ્રાણી ક્રુરતા નિવારણ સોસાયટીના સભ્યો પણ આ મામલે કોઈ જ જવાબ દેતા નથી તેમજ અગાઉ અનેક સામાજીક સંસ્થાઓ દ્વારા લોકોની અરજી અને રજુઆતને ધ્યાને લઈ હડકાયા શ્વાનને ગેસ્ક્યુ કરી અન્ય જગ્યાએ મુકવમાં આાવતું હતું. પરંતુ સામાજીક સંસ્થા હોવાથી બહારના લોકો તેઓને હેરાન પરેશાન કરતાં હોવાનું બહાર આવ્યું હતું આમ હાલ અમદાવાદ જીલ્લામાં શ્વાન કરડવાના બનાવો વધી રહ્યાં છે પરંતુ તંત્ર દ્વારા તેનો કોઈ જ ઉકેલ ન આવતાં રેસ્ક્યુ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આ અંગે જીલ્લા કલેકટરને લેખીત રજુઆત કરી હતી અને યોગ્ય ઉકેલ લાવવાની માંગ કરી હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pz51PQ

0 Response to "અમદાવાદ જિલ્લામાં શ્વાન કરડવાના બનાવો વધ્યા છતાં તંત્ર સાવ બેફિકર"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel