દસ્તાવેજના નોંધણીની ફી ઓનલાઈન ભરવાના પરિપત્રથી ઉગ્ર આક્રોશ

દસ્તાવેજના નોંધણીની ફી ઓનલાઈન ભરવાના પરિપત્રથી ઉગ્ર આક્રોશ


થાન, તા. 7 ફેબ્રુઆરી, 2021, રવિવાર

રાજ્ય સરકાર દ્વારા કોરોનાની મહામારીને ધ્યાને લઈને દસ્તાવેજોની નોંધણી ફી તથા પાના ફીની રકમ ઓનલાઈન ભરવાનો પરીપત્ર બહાર પાડયો છે પરંતુ તાજેતરમાં કોરોનાની મહામારી ઘટી રહી હોવા છતાં ઓનલાઈન ફીનો પરીપત્ર પાછો ખેંચવામાં ન આવતાં દસ્તાવેજ કરનાર લોકોને ઓનોલાઈન કામગીરીમાં હાલાકી પડી રહી છે ત્યારે થાન તાલુકામાં પણ અનેક અરજદારોને મુશ્કેલી પડતાં રોષ ફેલાયો છે. 

રાજ્ય સરકાર દ્વારા કોરોનાની મહામારીને ધ્યાને લઈ અનેક નિર્ણયો કરવામાં અવ્યાં હતાં પરંતુ કોરોના મહામારીમાં ઉત્તરોત્તર ઘટાડો થયો હોવા છતાં પ્રજાને પરેશાની થઈ રહી છે. પરંતુ નિયમોમાં નિર્ણયોમાં કોઈ જ સુધારો કરવામાં આવ્યો નથી જેના કારણે પ્રજાજનોમાં રોષ જોવા મળી રહ્યો છે જેમાં રાજ્ય સરકાર દ્વારા કોરોનાની મહામારીના કારણે દસ્તાવેજોની નોંધણી ફી તથા પાના ફીની રકમ ઓનલાઈન ભરવાનો પરીપત્ર બહાર પાડયો હતોે. જેમાં સમગ્ર રાજ્ય સાથે થાન તાલુકામાં પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે જેમાં દસ્તાવેજની નોંધણી ફી તથા પાના ફીની રકમ નજીવી થતી હોય તો પણ આ રકમ ઓનલાઈન ભરવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. જેના કારણે થાન તાલુકામાં નાના દસ્તાવેજ કરનારા લોકોને રૂા.૨૦૦ ભરવા માટે સામે ઓનલાઈન કામગીરી કરતાં રૂા.૨૦૦નો ચાર્જ દેવો પડે છે આમ દસ્તાવેજની કામગીરીમાં સોના કરતાં ઘડામણ મોંધુનો ઘાટ સર્જાયો છે. જ્યારે મોટાભાગે નાના માણસો તેમજ ઓછો અભ્યાસ ધરાવનાર લોકોને ઓનલાઈન પ્રક્રિયાની આવડત હોતી નથી તેમજ તેઓ પાસે એટીએમ કાર્ડ પણ ન હોય ફરજીયાત દસ્તાવેજની કામગીરી અન્ય જગ્યાએ ઓનલાઈન કરવી પડે છે આથી સરકાર દ્વારા દસ્તાવેજોની ઓનલાઈન નોંધણીની કામગીરીનો પરિપત્ર પરત ખેંચવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oYGzaf

0 Response to "દસ્તાવેજના નોંધણીની ફી ઓનલાઈન ભરવાના પરિપત્રથી ઉગ્ર આક્રોશ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel