સુરેન્દ્રનગરમાં 11 મહિના બાદ કોરોનાના કેસ ન નોંધાતાં રાહત

સુરેન્દ્રનગરમાં 11 મહિના બાદ કોરોનાના કેસ ન નોંધાતાં રાહત


સુરેન્દ્રનગર, તા. 7 ફેબ્રુઆરી, 2021, રવિવાર

સમગ્ર દેશ સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોના વાયરસે ગત માર્ચ મહિનાથી જિલ્લામાં પગપેસારો કર્યો હતો અને છેલ્લા ૧૧ મહિના દરમ્યાન સુરેન્દ્રનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના પોઝીટીવ કેસો સતત વધી રહ્યાં હતાં અને પ્રતિદિન સરેરાશ ૧ થી લઈ વધુમાં વધુ ૩૫ સુધી કોરોના વાયરસના પોઝીટીવ કેસો નોંધાતા હતાં.જોકે આજે એક પણ કેસ ન નોંધાયો ન હતો. 

જેની સામે સરકાર અને આરોગ્ય તંત્ર તેમજ સ્થાનિક વહિવટી તંત્ર સતર્ક બન્યું હતું અને છેલ્લા એક મહિનામાં કોરોના વાયરસના પોઝીટીવ કેસોમાં સતત ઘટાડો થયો હતો અને જીલ્લામાં અત્યાર સુધીમાં અંદાજે કુલ ૩૭૧૪ જેટલાં કોરોના પોઝીટીવ કેસો નોંધાયા હતાં ત્યારે ૧૧ મહિના બાદ જીલ્લામાંથી કોરોનાએ વિદાય લીધી હોય તેમ લાગી રહ્યું છે જેમાં ફરી વખત સુરેન્દ્રનગર જીલ્લામાં એકપણ પોઝીટીવ કેસ ન નોંધાતાં તંત્ર સહિત સુરેન્દ્રનગરવાસીઓએ રાહત અનુભવી છે અને હંમેશાની માટે કોરોના જીલ્લામાંથી નાબુદ થાય અને જીલ્લો સંપૂર્ણ કોરોનામુક્ત બને તેવી અપેક્ષાઓ અને આશાઓ સેવી રહ્યાં છે ત્યારે જીલ્લામાં એકપણ કેસ કોરોના પોઝીટીવ કેસ ન નોંધાતા આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી.




from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Oh9gCM

0 Response to "સુરેન્દ્રનગરમાં 11 મહિના બાદ કોરોનાના કેસ ન નોંધાતાં રાહત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel