
સમગ્ર રાજ્યના પગલે જિલ્લામાં આજથી ધો. 6 થી 8ના વર્ગો શરૂ થશે
સુરેન્દ્રનગર, તા. 17 ફેબ્રુઆરી, 2021, બુધવાર
સમગ્ર રાજ્યમાં કોરોનાની મહામારીના કારણે છેલ્લા ૧૦ મહિનાથી શાળાઓમાં શિક્ષણકાર્ય સંપૂર્ણ બંધ હતું અને સરકારની સુચના મુજબ માત્ર ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ રાખવામાં આવ્યું હતું ત્યારે કોરોના કાળ દરમ્યાન બંધ રહેલી શાળાઓ પૈકી સરકાર દ્વારા અગાઉ ધોરણ-૯ થી ૧૨ના વર્ગો ગાઈડલાઈન મુજબ શરૂ કરવામાં આવ્યાં છે ત્યારે આજથી સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ સરકારી અને ખાનગી શાળાઓમાં ધોરણ-૬ થી ૮ના વર્ગો શરૂ થશે.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોરોનાની મહામારીના કારણે જીલ્લામાં સ્કૂલો અને કોલેજોમાં શિક્ષણ કાર્ય સંપૂર્ણ બંધ હતું માત્ર ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું હતું જેમાં જીલ્લામાં આવેલ સરકારી શાળાઓ અને અંદાજે ૨૫૦થી વધુ ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અગાઉ સરકાર દ્વારા ક્રમશઃ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી ધોરણ-૯ થી ૧૨ના વર્ગો શરૂ કરી દેવામાં આવ્યાં છે જ્યારે આજથી જીલ્લામાં ધોરણ- થી ૮ના વર્ગો પણ શરૂ થઈ રહ્યાં છે જેને ધ્યાને લઈ સરકાર દ્વારા ખાસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જે મુજબ દરેક વિદ્યાર્થીઓને સ્કુલમાં પ્રવેશતી વખતે માસ્ક, સેનેટાઈઝર સહિતની ગાઈડલાઈનનું પાલન કરવવામાં આવશે આ ઉપરાંત દરેક વિદ્યાર્થીઓને ફરજીયાત સોશ્યલ ડિસ્ટેન્સ જાળવવું પડશે. આ અંગે ખાનગી શાળાઓના સંચાલકોએ પણ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે અને આજથી કોરોના મહામારી બાદ ફરી ધોરણ-૬ થી ૮નું કાર્ય શરૂ થશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bjuBTI
0 Response to "સમગ્ર રાજ્યના પગલે જિલ્લામાં આજથી ધો. 6 થી 8ના વર્ગો શરૂ થશે"
Post a Comment