
કચ્છના ધોરડો ખાતે ૨૧થી ૨૩ જાન્યુઆરી દરમિયાન 'ચિંતન બેઠક'
ભુજ,બુધવાર
કચ્છના ધોરડો ખાતે કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગે રાજયમંત્રી મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં ત્રિ-દિવસીય ' ચિંતન બેઠક'નું આયોજન કરવામાં આવ્યુ છે. ૨૧ થી ૨૩ જાન્યુઆરી ૨૦૨૧ દરમિયાન યોજાનારી આ બેઠકમાં ભારતના તમામ મુખ્ય બંદરોના ચેરપર્સન અને મંત્રાલયના વરિષ્ઠ અિધકારીઓ આવશે અને મેરીટાઈમ વિઝન-૨૦૩૦ માટે આગામી રૃપરેખાને અંતિમ રૃપ આપવા માટેની સઘન ચર્ચા પરિષદમાં ભાગ લેશે.
તમામ મુખ્ય બંદરો દ્વારા સેટેલાઈટ પોર્ટસ(એકલ બંદરો)ના વિકાસની ભાવિ યોજનાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવશે
આ ચિંતન બેઠકમાં શહેરી પરિવહનના નવા માર્ગોનું અન્વેષણ, સારોદ બંદરોનો અસરકારક અમલ, આંતરરાષ્ટ્રીય લવાદ વગેરે સંબંિધત સત્રો સમાવી લેવામાં આવ્યા છે. તમામ મુખ્ય બંદરો દ્વારા સેટેલાઈટ પોર્ટસ(એકલ બંદરો)ના વિકાસની ભાવિ યોજના અંગે પણ અહિં ચર્ચા કરવામાં આવશે. રો-રો અને રો-પેકસ ફેરી તેમજ સી-પ્લેન સેવાઓ સમગ્ર રાષ્ટ્રમાં શરૃ કરવા પેકસ ફેરી તેમજ સી-પ્લેન સેવાઓ સમગ્ર રાષ્ટ્રમાં શરૃ કરવા માટે નવા રૃટ ખોલવા અંગે પણ ચર્ચા કરવામાં આવશે અને જથૃથામાં વાધારો કરવા માટે તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં માલની હેરફેરમાં વાધારો કરવા માટેના માર્ગો અને રીતો પર ચર્ચા પણ આ ચિંતન બેઠકનો હિસ્સો રહેશે.
બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી માંડવીયાએ જણાવ્યુ હતુ કે, આ ચિંતન બેઠકનું આયોજન કરવાનો મુળ ઉદેશ્ય આપણા બંદરોની કામગીરી અને કાર્યદક્ષતામાં સુાધારો કરવા માટે નવતર વિચારો બહાર લાવવાનો અને માલ સામાનની હેરફેરમાં ઘટાડો કરવા, કનેકટીવીટી વાધારવા અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેશ માટે આંતરરાષ્ટ્રીય આાધાર ચિન્હે અપનાવીને બંદરો પર વિશ્વ સ્તરીય ઈન્ફ્રાસ્ટ્રકચર સુવિાધાઓ ઉભી કરવા પર ધ્યાન આપવાનો છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pgnOjP
0 Response to "કચ્છના ધોરડો ખાતે ૨૧થી ૨૩ જાન્યુઆરી દરમિયાન 'ચિંતન બેઠક'"
Post a Comment