
સુરતથી હિંમતનગર આવતી બસમાં ટેકનિકલ ખામી સર્જાતાં મુસાફરોને હાલાકી
મોડાસા,તા.18 જાન્યુઆરી 2021, સોમવાર
સુરતથી હિંમતનગર આવતી બસમાં ટેકનિકલ ખામી સર્જાતાં મોડાસા પાસે ના જાલોદર પાસે એસ.ટી.બસ ખોટકાઈ હતી. જેને લઈ બસમાં મુસાફરી કરી રહેલા ૩૦ થી વધુ મુસાફરો અટવાયા હતા.આમ લાંબા રૃટ ની બસમાં ટેકનિકલ ખામી સર્જાતાં મુસાફરોને કલાકો સુધી રોડ ઉપર બેસી રહેવાનો વારો આવ્યો હતો.
મોડાસાના જાલોદર પાસે સુરત થી આવતી એસટી બસના એન્જીનનો બેલ્ટ તુટતાં બસ ખોટકાઈ હતી. ૩૦ થી વધુ મુસાફરો આ બસમાં સવાર હતા. અચાનક બસમાં ટેકનિકલ ખામી સર્જાતાં મુસાફરો અટવાયા હતા.આમ સલામત સવારી,એસ.ટી.અમારી નું સૂત્ર અસલામત રહયું હતું.એસટી બસ સુરત થી હિંમતનગર જઈ રહી હતી. જે બસમાં ખામી સર્જાતાં અધવચ્ચે અટવાઈ હતી.જેને લઈ મુસાફરો અટવાયા હતા અને મુસાફરો ને અન્ય બસની રાહ જોવી પડી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38VWLEr
0 Response to "સુરતથી હિંમતનગર આવતી બસમાં ટેકનિકલ ખામી સર્જાતાં મુસાફરોને હાલાકી"
Post a Comment