
રાધનપુરના લક્ષ્મીપુરામાં મસાલી ડીસ્ટ્રીબ્યૂટી કેનાલ ઓવરફ્લો
રાધનપુર તા.30 જાન્યુઆરી 2021, શનિવાર
રાધનપુર તાલુકાની મસાલી ડીસ્ટ્રીબ્યૂટી કેનાલમાં તંત્રની બેદરકારીને કારણે પાણી છોડવામાં આવતા લક્ષ્મીપુરા ની સીમમાં કેનાલ ઓવરફ્લો થતાં ગાબડું પડયું હતું. કેનાલમાં ગાબડું પડતાં કેનાલનું પાણી ખેતરમાં ફરી વળ્યું હતું જેને લઇને ખેડૂતે કરેલ ચણાના પાકને ભારે નુકસાન થવા પામ્યું હતું.
મસાલી ડીસ્ટ્રીક નર્મદા કેનાલમાં રાત્રે એકાએક પાણી વધુ છોડવામાં આવતા કેનાલ ઓવરફ્લો થવા પામી હતી કેનાલની કેપેસિટી થી વધુ પાણી કેનાલમાં આવતા પાણી કેનાલ ઉપરથી વહી જતા કેનાલ ની બાજૂ ની માટી ધોવાતા કેનાલમાં ગાબડું પડયું હતું જેને લઇને કેનાલનું પાણી બાજુમાં આવેલ ઠાકોર અમરતભાઈ ના ખેતરમાં ફરી વળ્યું હતું કેનાલનું પાણી ખેડૂતે કરેલ ચણાના વાવેતરમાં ફરી વળતા ખેડૂતના પાક ને નુકશાન થવા પામ્યું હતું રાત્રી દરમિયાન કેનાલમાં પાણી વધુ છોડવામાં આવ્યાની નર્મદા નિગમના અધિકારીઓને જાણ કરવા છતાં વહેલી સવાર સુધી કેનાલમાં પાણી બંધ કરવામાં ન આવતા આજુબાજુના ખેડૂતોએ પાવડા લઈ આવી કેનાલ મા પડેલ ગાબડું જાતે રિપેર કરવા પ્રયત્નો હાથ ધર્યા હતા મસાલી ડીસ્ટ્રીક કેનાલમાં છેલ્લા ત્રણેક વર્ષથી ગાબડા પડવાને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાનના વળતર બાબતે નર્મદા નિગમ દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવેલી છે .
રાધનપુર પંથકમાં આવેલ નર્મદા કેનાલોમાં પાણી છોડવા માટે ગેટમેનોને દર માસે લાખો રૃપિયાનો પગાર નિગમ દ્વારા ચૂકવવામાં આવે છે પરંતુ વારંવાર કેનાલો ઓવરફ્લો થવાને લઈને કેનાલોમાં ગાબડાં પડવા ના બનાવો સામે આવતા નિગમના અધિકારીઓની બેદરકારી છતી થવા પામી છે રાધનપુર પંથક માં કેનાલ ની કેપેસીટી થી વધુ પાણી આવતા કેનાલોનું ધોવાણ થઇ ગાબડા પડવાને કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NHKWcO
0 Response to "રાધનપુરના લક્ષ્મીપુરામાં મસાલી ડીસ્ટ્રીબ્યૂટી કેનાલ ઓવરફ્લો"
Post a Comment