
ઔદ્યોગિક વિવાદધારામાં ગુજરાતે કરેલા સુધારાને રાષ્ટ્રપતિની મંજૂરી
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 9 જાન્યુઆરી, 2021, શનિવાર
ઔદ્યોગિક વિવાદ ધારામા ંગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં કરવામાં આવેલા ફેરફારો સાથેના સુધારેલા કાયદાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપતિએ પહેલી જાન્યુઆરીએ આ સુધારેલા વિધેયકને મંજૂરી આપી દીધી છે.
ઔદ્યોગિક વિવાદ ધારામાં સુધારો કરીને ઉદ્યોગોને લૅ ઑફ આપવાને મુદ્દે, છટણી કરવાને તથા કામદારોને વળતર આપવાને મુદ્દે ચોક્કસ નિયમોનું પાલન કરવામાંથી રાહત આપી દેવામાં આવી છે. ગુજરાત ઔદ્યોગિક વિવાદ ધારા સુધારા વિધેયકને 22મી સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભામાં મંજૂરી આપવામાં આવી હતી.
વેપાર ઉદ્યોગની ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસમાં વધારો કરવાના ઇરાદા સાથે ઉપરોક્ત કાયદો સુધારવામાં આવ્યો છે. આ સુધારાઓ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૂચનાથી કરવામાં આવ્યા હતા. 1947ના ઔદ્યોગિક વિવાદ ધારા મુજબ સો થી વધુ કર્મચારીઓ કે કામદારો ધરાવતા એકમ માટે કર્મચારીઓની છટણી કરવા માટ ેકે પછી લૅ ઑફ આપવા માટે સરકારની આગોતરી મંજૂરી લેવી પડતી હતી. નવા કાયદામાંથી મંજૂરી લેવાની શરતને દૂર કરી દેવામાં આવી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XoedLi
0 Response to "ઔદ્યોગિક વિવાદધારામાં ગુજરાતે કરેલા સુધારાને રાષ્ટ્રપતિની મંજૂરી"
Post a Comment