
ચોટીલામાં ગાંધી નિર્વાણ દિન અને શહીદ દિને કાર્યક્રમ યોજાયો
સુરેન્દ્રનગર, તા. 30 જાન્યુઆરી, 2021, શનિવાર
સમગ્ર દેશ સાથે રાજ્યમાં ૩૦ જાન્યુઆરી એટલે કે શહીદ દીન તેમજ ગાંધી નિર્વાણ દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે ગાંધી નિવાર્ણ દિન નિમિત્તે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા ખાતે સ્વરાંજલિ અને મૌનાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં ખ્યાતનામ લોક ગાયક અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ, નિલેશભાઈ પંડયા સહિતનાઓએ ઝવેરચંદમેઘાણી રચિત શૌર્ય દેશપ્રેમ અને ગાંધી ગીતો થકી સ્વરાંજલિ અર્પણ કરી હતી. તેમજ મૌન પાળી શહીદોને મૌનાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું ઓનલાઈન ઈન્ટરનેટના માધ્યમથી દેશ-વિદેશ સહિત અંદાજે ૭ લાખથી વધુ ભાવિકોએ માણ્યો હતો. જ્યારે આ સમગ્ર આયોજનને સફળ બનાવવા ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન તથા ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટ તેમજ ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પીનાકીભાઈ મેઘાણી દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. તેમજ આ તકે ચોટીલા ટ્રસ્ટના જગદીશગીરી ગોસાઈ, મહિપણસિંહ વાઘેલા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ડો. સી.બી.બલાસ, કીરતારસિંહ પરમાર, ભરતસિંહ ડાભી, ગગુભાઈ ગોહિલ, બળવંતસિહ ગોહિલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતાં.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3r6ddIr
0 Response to "ચોટીલામાં ગાંધી નિર્વાણ દિન અને શહીદ દિને કાર્યક્રમ યોજાયો"
Post a Comment