
મકાન ખાલી કરાવવા પરિવારને ઘરમાં પુરીને મારી નાખવાની ધમકી
અમદાવાદ, તા. 22 જાન્યુઆરી, 2021, શુક્રવાર
વાસણામાં મકાન ખાલી કરાવવા બાબતે પરિવારને ગોંધી રાખવાનો બનાવ બન્યો છે. સુરતમાં રહેતી વ્યક્તિએ વાસણામાં મકાન માલિક પાસેથી મકાન ખરીદ્યું હતું. જોકે માલિકે મકાન ખાલી કર્યું ન હોનાથી ખરીદારે મકાન ખાલી કરવા કહ્યું હતું.
આથી તેણે ટાંટીયા તોડી નાંખવાની ધમકી આપી હતી. બીજીતરફ પાંચ શખ્સોએ મકાન ખાલી કરાવવા મકાન માલિક અને તેના પરિવારને ઘરમાં પુરી રાખી જાનથી મારવાની ધમકી આપી હતી. જેને કારણે વાસણા પોલીસ સ્ટેશનમાં બે અલગ અલગ ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવની વિગત મુજબ સુરતમાં રહેતા શૈલેષભાઈ જી.શાહે (56) વાસણામાં ચંદ્રનગર ખાતે ક્રિતીમંદિર સોસાયટીમાં રાજેશભાઈ બચુભાઈ વડેચાનું મકાન ખરીદ્યું હતું. તે સમયે રાજેશભાઈએ હાલ પૈસાની તકલીફ હોવાથી થોડો સમય મકાનમાં રહેવા દેવા જણાવતા શૈલેષભાઈએ હા કહી હતી.
જોકે બાદમાં શૈલેષભાઈ અવારનવાર મકાન ખાલી કરવા કહેતા હોવાછતા રાજેશભાઈ મકાન ખાલી કરતા ન હતા અને મારવાની ધમકી આપતા હતા. બીજીતરફ શૈલેષભાઈે મકાન વેચવું હોવાથી તેમણે કેમના મિત્ર રણજીતભાઈ ભરવાડને વાત કરતા તેમણે મકાન જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
દરમિયાન રણજીતભાઈ મકાન જોવા આવતા રાજેશભાઈએ મારે શૈલેષભાઈ પાસેથી પૈસા લેવાના નીકળે છે, એમ કહ્યું હતું. આથી શૈલેષભાઈ રાજેશભાઈના ઘરે આવ્યા હતા અને મકાન ખાલી કરવા કહ્યું હતું અને તમારે મારી પાસે ક્યાં પૈસા લેવાના નીકળે છે, એમ જણાવ્યું હતું.
આથી રાજેશભાઈ અને તેમના ભાઈ મુકેશભાઈએ શૈલેષભાઈને ગંદી ગાળો બોલીન વાસણામાં ફરી દેખાયો તો ટાંટીયા તેડી નાંખીશ એવી ધમકી આપી હતી. આથી શૈલેષભાઈએ રાજેશભાઈ બી.વડેચા અને મુકેશભાઈ બી વડેચો વિરૂધ્ધ વાસણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.
બીજીતરફ રાજેશભાઈ વડેચાના પત્ની રેખાબહેને વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમણે 2012માં જ્યોત્સનાબહેન એસ.પટેલ પાસેથી આ મકાન ખરીદ્યું હતું. મકાન માલિકે બેન્ક લોન લીધી હોવાથી પેમેન્ટ બાકી હતું.
આથી બેન્કે લેટર સોસાયટીને ટ્રાન્સફર નહી કરવાનું લખી આપ્યું હતું. 2018માં આ મકાન જ્યોત્સનાબહેને તેમના સંબંધી રોનક શૈલેષભાઈ શાહને વેચી દસ્તાવેજ કરી આપ્યા હતા. સોસાયટી ટ્રાન્સફર થયા પછી મકાનનો કબજો સોંપવાનું નક્કી થયું હતું.
દરમિયાન 21 જાન્યુઆરીના રોજ એક શખ્સે તેમના ઘરે આવીને બેન્કના હપ્તાની ઉઘરાણી માટે આવ્યો છું કહેતા જ્યોત્સનાબહેને અમારે બેન્કના કોઈ હપ્તા બાકી નથી એમ કહ્યું હતું. આ શખ્સે તેનું નામ રણજીતભાઈ હોવાનું કહીને તેમના પતિ સાથે વાત કરાવો કહ્યું હતું. ફોન પર વાત કર્યા બાદ રાજેશભાઈ ઘરે આવ્યા હતા.
દરમિયાન બીજા ચાર શખ્સો અહીં આવ્યા હતા. તેમણે આ મકાન અમારૂ છે કહીને રાજેશબાઈ અને તેમના બન્ને દિકરાઓને બેસાડી દીધા હતા અને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. તેમણે મકાન ખાલી નહી કરો તો જાનથી મારી નાંખીશું, એવી ધમકી આપી હતી.
બાદમાં જ્યોત્સનાબહેને તેમના જેઠ મુકેશભાઈને બોલાવતા તેમણે વાતચીત કરતા આ શખ્સો ચાલ્યા ગયા હતા. આ અંગે તેમણે રણજીત એમ.ભરવાડ, મનજીતસિંગ એમ.અઠવાલ, મોનીક આર.ભરવાડ, જતીન જી.ભરવાડ અને રાજદીપસિંહ એ.મોરી વિરૂધ્ધ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3paol6t
0 Response to "મકાન ખાલી કરાવવા પરિવારને ઘરમાં પુરીને મારી નાખવાની ધમકી"
Post a Comment