અમદાવાદમાં વધુ 88 લોકો કોરોનાથી સંક્રમિત, એકનું મૃત્યુ

અમદાવાદમાં વધુ 88 લોકો કોરોનાથી સંક્રમિત, એકનું મૃત્યુ


અમદાવાદ, તા. 22 જાન્યુઆરી, 2021, શુક્રવાર

અમદાવાદમાં કોરોના વિદાય લેવાની તૈયારી હોય તે રીતે કેસો ઘટી રહ્યાં છે. ખાનગી હોસ્પિટલોના 94 ટકા પ્રાઇવેટ બેડ હાલ ખાલી પડયા છે. દરમ્યાનમાં આજે વધુ 88 લોકો કોરોનામાં સપડાયા છે. જ્યારે સારવાર લઇ રહેલાંઓમાંથી એક દર્દીનું કરૂણ મૃત્યુ થયું છે. તેમજ સાજા થઇ જતાં 178 લોકોને જુદી જુદી હોસ્પિટલોમાંથી ડિસ્ચાર્જ કરાયા છે.

બીજી તરફ મ્યુનિ.ની હદમાં અત્યાર સુધીમાં કોરોનાની ઝપેટમાં આવી ગયેલાં લોકોની સંખ્યા 61323ની થઇ ગઇ છે. જેમાંથી 2233 દર્દીઓએ તેમના જીવ ગુમાવ્યા છે, તેમજ કોરોનાને હરાવનારની સંખ્યા 52597ના આંકડાને આંબી ગઇ છે.

ખાનગી હોસ્પિટલોની સંખ્યા ઘટાડીને 81 કરી દેવાઇ છે જેના 3005 બેડમાંથી માત્ર 195 જ હાલ ભરાયેલાં છે, જ્યારે 2810 બેડ ખાલી પડયા છે. આઇસીયુના 26 બેડ ઉપર દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે, તેની સામે 431 બેડ ખાલી છે, તેમજ 20 દર્દીઓ વેન્ટીલેટર પર છે, 200 વેન્ટીલેટર ખાલી છે.

કોવિડ કેર સેન્ટરોની સંખ્યા ઘટાડીને ત્રણની કરાઇ છે, તેના 160 બેડ તમામે તમામ ખાલી છે. જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 1605 થઇ ગઇ છે. જેમાં પશ્ચિમ ઝોન, ઉત્તરપશ્ચિમ ઝોન, દક્ષિણપશ્ચિમ ઝોનના 753 અને પૂર્વપટ્ટાના પૂર્વ ઝોન, મધ્ય ઝોન, ઉત્તર ઝોન, દક્ષિણ ઝોનના 852 દર્દીઓનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં વધુ 11,352 વ્યક્તિને કોરોના રસી અપાઇ

ગુજરાતના 138 કેન્દ્રો પર શુક્રવારે 11,352 વ્યક્તિઓને કોરોના રસી આપવામાં આવી હતી. આમ, 16 જાન્યુઆરીથી અત્યારસુધી કુલ 47,203 વ્યક્તિઓનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું છે. વધુ રાહતની વાત એ છે કે અત્યારસુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિમાં રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KE6rtY

0 Response to "અમદાવાદમાં વધુ 88 લોકો કોરોનાથી સંક્રમિત, એકનું મૃત્યુ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel