
મ્યુનિ. કોર્પો.ની ચૂંટણી લડવા કોંગ્રેસના બે હજાર દાવેદારોએ બાયોડેટા મોક્લ્યા
અમદાવાદ, તા. 12 જાન્યુઆરી, 2020, મંગળવાર
સૃથાનિક સ્વરાજની ચૂંટણીઓનુ એલાન થાય તે પહેલાં કોંગ્રેસે ચૂંટણીઓની તૈયારીઓ આરંભી દીધી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા પંદર વર્ષથી કોંગ્રેસ સત્તાથી દૂર રહી છે તેમ છતાંય ચૂંટણી લડવા કોંગ્રેસના દાવેદારોનો જાણે રાફડો ફાટયો છે. મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી લડવા કોંગ્રેસના બે હજાર દાવેદારોએ શહેર કોંગ્રેસ સમિતીએ બાયોડેટા મોકલ્યાં છે.
ઉતરાયણ બાદ ગુજરાતમાં સૃથાનિક સ્વરાજની ચૂંટણીઓનું એલાન થઇ શકે તેવી શક્યતા છે. આ જોતાં કોંગ્રેસે ચૂંટણી ેમદાને ઉતારવા મૂરતિયાઓની શોધખોળ શરૂ કરી છે. આજે શહેર કોંગ્રેસે દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા હાથ ધરી હતી. અત્યાર સુધી શહેર કોંગ્રેસને બે હજાર દાવેદારોના બાયોડેટા મળ્યાં છે.
આ વખતે જમાલપુર,ખાડિયા, મકતમપુરા , સરખેજ, દરિયાપુર , શાહપુર , ગોમતીપુર , સરસપુર , બહેરામપુરા .રખિયાલ સહિત કોંગ્રેસ પ્રભુત્વ ધરાવતાં વિસ્તારોમાં દાવેદારોની સંખ્યા વધુ છે. જયારે નવરંગપુરા, પાલડી , બોડકદેવ, વાસણામાં દાવેદારોની સંખ્યા પ્રમાણમાં ઓછી છે. પ્રથમ તબક્કામાં 1500 દાવેદારોની યાદી તૈયાર કરાઇ છે જેમાંથી સ્ક્રૂટિની કરીને પેનલ બનાવાશે.
સૃથાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસે શહેરોમાં પ્રભુત્વ જમાવવા ધ્યાન કેન્દ્રીત કર્યુ છે પરિણામે કોંગ્રેસે ઉમેદવાર નક્કી કરવા ચોક્કસ નિયમો ઘડયા છે જેમાં પક્ષની વિધારધારા-નિષ્ઠા ધરાવતો હોય , જીતવાની ક્ષમતા , પ્રજાલક્ષી પ્રશ્નો માટે વિસ્તારમાં લડતો હોય, યુવા ચહેરો હોય , લોકોમાં સ્વિકૃતિ હોય,સ્વચ્છ પ્રતિભા ધરાવતો હોય , સામાજીક પ્રતિષ્ઠા ધરાવતો હોય તેવા ઉમેદવારની પસંદગી કરાશે.
આ વખતે કોંગ્રેસના કેટલાંય સિટીગ મ્યુનિ.કોપોેરેટરોના પત્તા કપાઇ જશે. કારણ કે,પક્ષના કાર્યક્રમ-બેઠકમાં કોર્પોરેટરો હાજરી જ આપતાં ન હતા. આ વાતની હાઇકમાન્ડે પણ ગંભીર નોંધ લીધી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38EHDv7
0 Response to "મ્યુનિ. કોર્પો.ની ચૂંટણી લડવા કોંગ્રેસના બે હજાર દાવેદારોએ બાયોડેટા મોક્લ્યા"
Post a Comment