રાજકોટ: રાજ્યભરના 55000 વીજ કામદારો તારીખ 16થી આંદોલનના માર્ગે

રાજકોટ: રાજ્યભરના 55000 વીજ કામદારો તારીખ 16થી આંદોલનના માર્ગે

- તારીખ 1-1-2016 થી એરિયર્સ ચૂકવવાની માંગણી સાથે કાલે રાજ્યભરની વીજ કચેરીઓમાં દેખાવો અને સૂત્રોચ્ચાર થશે

રાજકોટ, તા. 15 જાન્યુઆરી 2021, શુક્રવાર

રાજ્યની જુદી-જુદી વીજ કંપનીઓના કર્મચારીઓ દ્વારા આવતીકાલ તા. 16થી રાજ્ય સરકાર સામેનું આંદોલન જાહેર કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે રાજ્યના તમામ વીજ કચેરીઓમાં દેખાવો અને સૂત્રોરચારનો કાર્યક્રમ થશે. ત્યારબાદ તારીખ 17ના કાળી પટ્ટી ધારણ કરીને જ કર્મચારીઓ ફરજ બજાવશે. તારીખ 21ના કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યભરના 55,000થી વધુ કામદારોએ આજરોજ તેમની રજા રિપોર્ટ સબમીટ કરી દીધા હોવાનું જાણવા મળે છે.

આજ રોજ રાજકોટ ખાતે ગુજરાત રાજ્યના વિવિધ કામદારોને વિવિધ કંપનીઓની સંકલન સમિતિના હોદ્દેદારોએ રાજય સરકાર સામેની આંદોલનની વિગતો આપી જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા 1-1-2016થી કર્મચારીઓને એરિયર્સની રકમ ચૂકવવામાં આવી નથી. તેમાં એલાઉન્સના પ્રશ્નો અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સુધી આ પ્રશ્ન વણ ઉકેલ્યો છે. તેથી અગાઉ રાજ્ય સરકાર સામે આંદોલન શરૂ કરવાનો અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું, પરંતુ આજ સુધી રાજ્ય સરકાર દ્વારા કોઇ પ્રકારનો હકારાત્મક પ્રતિભાવ નહીં મળતા આવતીકાલ તારીખ 16થી રાજ્યભરમાં તમામ વીજ કામદારો દ્વારા આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે. 

રાજ્યમાં પ્રથમ દિવસે તારીખ 16ના રોજ દેખાવો અને સૂત્રોરચારનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. જે તારીખ 17ના રોજ તમામ વીજ કામદારો કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે. જ્યારે તારીખ 21ના રાજ્યભરના તમામ કંપનીઓના વીજ કામદારો દ્વારા સામૂહિક રજા રિપોર્ટ મૂકવામાં આવ્યો છે.  આંદોલનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જેની ગંભીર અસર વીજ વિતરણ સહિતની વ્યવસ્થા ઉપર થશે તેવી સંભાવના હોદ્દેદારોએ આજે દર્શાવી હતી.




from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39BqCkz

0 Response to "રાજકોટ: રાજ્યભરના 55000 વીજ કામદારો તારીખ 16થી આંદોલનના માર્ગે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel