
અમદાવાદ મેટ્રોરેલના ફેઝ-2 પ્રોજેક્ટનું પ્રધાનમંત્રી દ્વારા ડિજિટલ ખાતમુહૂર્ત
ગાંધીનગર, તા. 18 જાન્યુઆરી, 2021, સોમવાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ મેટ્રોરેલના બીજા તબક્કાના પ્રોજેક્ટના કામકારનું ખાતમુહૂર્ત કરાવ્યુ ંહતું. તેમણે ઓનલાઈન વેબિનારના માધ્યમથી ડિજિટલ ખાતમુહૂર્ત કરાવ્યું હતું. અમદાવાદ ઉપરાંત સુરતના મેટ્રોરેલના પ્રોજેક્ટનો કામકાજનો આજથી આરંભ કરાવ્યો હતો. ગાંધીનગરમાં મહાત્મા ગાંધી મંદિર અને સુરતમાં ડ્રીમ સિટી ખાતે યોજવામાં આવેલા સમારોહને ઓનલાઈન સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ સમારોહને સંબોધન કરતાં ડિજિટલ ખાતમુહૂર્ત કરાવ્યું હતું.
અમદાવાદ મેટ્રોરેલના ફેઝ - 2માં અમદાવાદ શહેરને ગાંધીનગર સાથે ટ્રેન સેવાથી જોડવામાં આવશે. અમદાવાદ મેટ્રોરેલ પ્રોજેક્ટની કુલ લંબાઈ 40.03 કિલોમીટર છે. તેમાંથી 6.5 કિલોમીટર લંબાઈના મેટ્રો ટ્રેનની સુવિધા માર્ચ 2019માં જ કાર્યરત કરી દેવામાં આવી છે. બાકીની 33.5 કિલોમીટરની કામગીરી ઓગસ્ટ 2022 સુધીમાં પૂરૂં કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના મેટ્રોરેલ ફેઝ ટુના પ્રોજેક્ટ માટે અંદાજે રૂા. 5384 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
મોટેરા સ્ટેડિયમથી મહાત્મા ગાંધી મંદિર સુધીની 22.38 કિલોમીટરની લંબાી છે. આ રેલ સંપૂર્ણપણે એલિવેટેડ જ રહેશે. તેમાં 20 એલિવેટેડ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. તેમ જ જીએનએલયુથી ગિફ્ટ સિટી વચ્ચેના 5.41 કિલોમીટરની રેલ લાઈન વચ્ચે બે સ્ટેશન રહેશે. આમ કુલ 28.25 કિલોમીટરની લંબાઈમાં 22 જેટલા સ્ટેશન રાખવામાં આવ્યા છે.
ફેઝ2ના કોરિડોર 1ની લંબાઈ 22.8 કિલોમીટરની છે અને ભવિષ્યમાં તેને સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથક સાથે જોડવાનું આયોજન છે. મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધીના 20 કિલોમીટરના એલિવેટેડ કોરિડોરમાં 20 સ્ટેશનો છે. જેમાં જી.એન.એલ.યુ.થી ગિફ્ટ સિટી સુધીના વિસ્તારમાં બે એલિવેટેડ સ્ટેશન રહેશે.
અમદાવાદ મેટ્રો રેલ ફેઝ 2નો લાભ અમદાવાદ અને ગાંધીનગરની 62.6 લાખની વસતિને મળી શકશે. આ પ્રવાસ સલામત, સ્વચ્છ અને વાજબી બને તેવી ગણતરી મૂકવામાં આવી રહી છે.
60 લાખની વસતિ ધરાવતા સુરતના મેટ્રોરેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 40.35 કિલોમીટરનું કામ કરવામાં આવશે. ગુજરાત સરકાર અને ભારત સરકારે મળીને આ યોજના હેળ એમ.આર.ટી.એસ તરીકે ઓળખાવવામાં આવે છે. તેમાં બેમાંથી પહેલા કોરિડોરની લંભાવઈ 21.61 કિલોમીટર અને કોરિડોર - 2ની લંબાઈ 18.74 કિલોમીટરની છે. આ યોજના પાછળ કુલ મળીને રૂા. 12,0, 122કરોડનો ખર્ચ થશે.
કોરિડોર - 1માં સરથાણથી ડ્રીમ સિટી સુધીના રસ્તામાં 15.14 કિલોમીટરની એલિવેટેડ લાઈન હશે. તેમાં 14 એલિવેટેડ મેટ્રોરેલ સ્ટેશન અને 6 ભૂગર્ભ મેટ્રો સ્ટેશન તૈયાર કરવામાં આવયા છે. કોરિડોર 2માં ભેંસાણથી સરોલી વચ્ચેન 18.74 કિલોમીટરનો એલિવેટેડ લાઈન પર 18 સ્ટેશન બનાવવામાંઆવ્યા છે. આમ કુલ 33.88 કિલોમીર લાંબી લાઈન પર 32 એલિવેટેડ સ્ટેશન રાખવામાં આવ્યા છે. અત્યારે ડ્રિમ સિટીટ ડેપોથીકદરસાની નાલ સુધીના 9.88 કિલોમીર વાળા કોરિડોર - 1ને અગ્રક્રમે રાખવામાંઆવ્યો છે. તેમાં 10એલિવેટેડ મેટ્રો સ્ટેશનો છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39HtFI8
0 Response to "અમદાવાદ મેટ્રોરેલના ફેઝ-2 પ્રોજેક્ટનું પ્રધાનમંત્રી દ્વારા ડિજિટલ ખાતમુહૂર્ત"
Post a Comment