
રવિવારથી મહિમાવંતા અન્નપુર્ણા માતાજીના વ્રતની કરાશે ઉજવણી
ભાવનગર, તા. 17 ડિસેમ્બર 2020, ગુરૂવાર
અન્નદાનનો મહિમા અને દરીદ્રનારાયણોની સેવા કરવાની ભાવના વધારતા હિન્દુ ધર્મ સંસ્કૃતિના અત્યંત મહત્વપૂર્ણ ગણાતા અન્નપુર્ણા માતાજીના વ્રતની પરંપરાગત રીતે આગામી માગશર સુદ છઠ્ઠને તા.૨૦ ડિસેમ્બરથી બહેનો દ્વારા ભાવ અને ભકિતમય માહોલમાં ઉજવણી કરવામાં આવશે.
અન્નદાનમ મહાદાનમ અને અન્નનો તિરસ્કાર ન કરાય, એનો બગાડ ન ન થાય અને તેનું દાન કરવાની પવિત્ર ભાવના સમાજમાં વ્યાપકપણે પ્રસરે તેવા આશયથી દર વર્ષે માગશર સુદ છઠ્ઠથી ૨૧ દિવસના માતા અન્નપુર્ણા માતાજીના વ્રતની ઉજવણી થાય છે. કૃષિ સંસ્કૃતિના દૈવી પ્રતિક સમાન અન્નપૂર્ણાદેવીના વ્રતધારી બહેનો દ્વારા આ ૨૧ દિવસ એકટાણા કરવામાં આવશે. પુજાસ્થાનમાં પાટલો કે બાજોઠ મુકી તેના ઉપર લાલ વસ્ત્ર પાથરી વચ્ચે ઘંઉની ઢગલી કરાય છે. તેની ઉપર શ્રીફળ સાથે આસોપાલવ અથવા નાગરવેલના પાંચ પાન સાથેનો કળશ મુકાય છે.
બાદ અન્નપૂર્ણામાતાજીની છબી મુકી ત્યાં પુજા કરાય છે. આ વ્રતમાં સુતરના ૨૧ તારને ૨૧ ગાંઠો મારીને અક્ષત (આખા ચોખા)ના ૨૧ દાણાથી હે અન્નપૂર્ણા માતાજી, મને અન્ન, પુત્ર, કીર્તિ અને સુખ સમૃધ્ધિ આપો તેમ મંત્રોચ્ચાર કરીને વધાવીને દોરાને પુરુષે જમણા હાથે અને સ્ત્રીએ ડાબા હાથે બાંધવામાં આવે છે. ત્યાર બાદ દરરોજ અન્નપૂર્ણા માતાજીના મંદિરે દર્શન,પૂજા પાઠ અને માતાજીની વ્રતકથા વ્રતધારી બહેનો સાંભળશે અને માતાજીના મંદિરમાં પધરાવેલા દોરાની પણ શાસ્ત્રોકત રીતે અબીલ ગુલાલ,કંકુ,ફૂલ અને ચોખાથી પુજા કરાશે અને ૨૧ માં દિવસે અન્નપુર્ણા માતાજીની સ્થાપના કરીને, પ્રાર્થના, પૂજા,પ્રદક્ષિણા કરી હાથમાં બાંધેલો દોરો દેવીની મૂર્તિ આગળ અર્પણ કરી અન્નથી ભરેલા ૨૧ પાત્રોનું યથાશકિત દાન કરવામાં આવશે અને બીજા દિવસે માતાજીનું ભાવથી વિસર્જન કરાશે.
Baca Juga
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38ddJNc
0 Response to "રવિવારથી મહિમાવંતા અન્નપુર્ણા માતાજીના વ્રતની કરાશે ઉજવણી"
Post a Comment