
કાલે બુધેલમાં પાણી પુરવઠા યોજનાનુ મુખ્યમંત્રીના હસ્તે કરાશે ખાતમુહૂર્ત
- યોજના થકી ભાવનગર, અમરેલી તથા ગીર સોમનાથ જિલ્લાના ૬૧૨ ગામો અને ૨૦ શહેરોની ૪૩ લાખની વસતીને પીવાના પાણીનો લાભ મળશે
ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય, શહેરી તથા ઔદ્યોગિક વિસ્તારો મળી કુલ ૬૧૨ ગામો અને ૨૦ શહેરોની ભવિષ્યની કુલ ૪૩ લાખની વસતીને આવનારા સમયમાં અપૂરતા, અનિયમિત કે ક્ષારયુક્ત પાણી જેવી સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે નર્મદા તેમજ મહી પરીએજ યોજના આધારિત અંદાજે ૩૭૬.૧૯ કરોડના કામનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આગામી તા.૧૯ ડિસેમ્બરે ૨૦૨૦ને શનિવારના રોજ સવારે ૧૦-૦૦ કલાકે ભાવનગર જિલ્લાના ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે કરવામાં આવશે.
મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવનાર પાણી પુરવઠા યોજનાની વિગત જોઈએ તો આ યોજનાના પાણીના ોત તરીકે નર્મદા આધારિત સૌરાષ્ટ્ર શાખા નહેર ખાતેના ઢાંકી પંપીંગ સ્ટેશન, મહી પરીએજ તળાવ અને વલભીપુર બ્રાન્ચ કેનાલ લેવામાં આવેલ છે. જી.ડબલ્યુ.આઈ.એલ. દ્વારા વૈજ્ઞાાનિક પદ્ધતિનો ઉપયોગ કરી પાણીની જરૂરિયાતનું ડિમાન્ડ ગેપ વિશ્લેષણ કરી ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ એમ ત્રણ જિલ્લાઓની ઘટતી દૈનિક ૧૮ કરોડ લીટર પીવાના પાણીની માંગને પૂરી કરવા માટે ૩૭૬.૧૯ કરોડની ભાવનગર જિલ્લાના બુધેલ થી બોરડા સુધી ૫૮ કિલોમીટર એમ.એસ પાઇપ લાઇન હયાત પાઈપ લાઈનની સમાંતર નાખવાનું નક્કી કરેલ છે.
Baca Juga
યોજના આગામી ૨૦ માસના આ સમયગાળામાં પૂર્ણ કરવામાં આવનાર છે. આમ, આ યોજનાના કામો પૂર્ણ થયેથી અને યોજના કાર્યાન્વિત થયેથી ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય, શહેરી તથા ઔદ્યોગિક વિસ્તારોના કુલ ૬૧૨ ગામો અને ૨૦ શહેરોની ભવિષ્યની કુલ ૪૩ લાખની વસ્તીને વધારાના પીવાના પાણીનો લાભ મળી શકશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nzTDTG
0 Response to "કાલે બુધેલમાં પાણી પુરવઠા યોજનાનુ મુખ્યમંત્રીના હસ્તે કરાશે ખાતમુહૂર્ત"
Post a Comment