
ગુજરાત સરકારનું બેવડુ વલણઃ ભાજપની રેલીઓને છૂટ પણ ખેડૂતોને વિરોધ કરવાનો હક નહીં, આગેવાનોને નજરકેદ કર્યાં
- દિલ્હી બોર્ડર જતાં રોકવા પોલીસે ખેડૂત આગેવાનોને નજરકેદ કર્યાં
- ભાજપની રેલીઓને છૂટ ને ખેડૂતોને વિરોધ કરવાનો હક નહીં
- ગુજરાતમાં આંદોલનને સમર્થન : ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી અને જામનગરમાં શ્રધ્ધાજંલિ કાર્યક્રમ પણ યોજાયા
અમદાવાદ, તા. 20 ડિસેમ્બર, 2020, રવિવાર
કૃષિ કાયદાને રદ કરવાની માંગ સાથે દિલ્હી બોર્ડર પર ખેડૂતોએ શરૂ કરેલા આંદોલનને આજે 26 દિવસ પૂર્ણ થયાં છે ત્યારે ગુજરાતમાંથી પણ ખેડૂતો દિલ્હી કૂચ કરી રહ્યાં છે. અત્યાર સુધી 600થી વધુ ખેડૂતો દિલ્હી બોર્ડર પહોંચી ચૂક્યાં છે ત્યારે આંદોલનમાં ભાગ લેવા જતાં અટકાવવા પોલીસે ગુજરાતમાં કેટલાંક ખેડૂત આગેવાનો નજરકેદ કર્યાં છે.
ખેડૂત નેતાઓનો આરોપ છેકે, સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ કહ્યુ છેકે, ખેડૂતોને વિરોધ કરવાનો હક છે આમ છતાંય ગુજરાત પોલીસ ખેડૂતો પર જોરજુલમ કરી રહી છે. ભાજપની રેલીઓને કોઇ રોકટોક કરનાર નથી ત્યારે ખેડૂતોને પોતાના હક માટે વિરોધ કરવાની ય મંજૂરી અપાતી નથી.
એક તરફ,કૃષિ કાયદાનો વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે ત્યારે બીજી તરફ, ખેડૂત સંમેલનો યોજી ભાજપ ખેડૂતોને સમજાવવા પ્રયાસો કરી રહ્યુ છે.જોકે, ગુજરાતમાં ખેડૂત આંદોલનને સમર્થન સાંપડી રહ્યુ છે. વધુને વધુ ખેડૂતો દિલ્હી પહોંચી રહ્યાં છે જેના કારણે ભાજપ સરકારની ચિંતા વધી છે. આજે સાબરકાંઠા, અરવલ્લી,નવસારી, જામનગર,ભાવનગર સહિતના શહેરોમાં શહીદ કિસાન શ્રધૃધાજંલિ કાર્યક્રમ પણ યોજાયા હતાં.
સુરતમાં હીરાબજારમાં આંદોલનના સમર્થનમાં ઉપવાસ પર બેઠેલાં કેતનભાઇ વાણિયાની પોલીસે અટકાયત કરી હતી. આ ઉપરાંત જેતપુરના ખેડૂત આગેવાન ચેતન ગઢિયાને છેલ્લા દસેક દિવસથી તેમના નિવાસસૃથાને જ પોલીસે નજરકેદ કર્યા છે.ભાવનગરમાં ખેડૂત એકતા મંચના કન્વિનર ભરતસિંહ વાળાને નજરકેદ કરાયાં છે.
આ મુદ્દે વિરોધ કરવા જતાં 12 લોકોની અટકાયત કરાઇ છે. જામનગરમાં પણ ખેડૂત નેતા હિરેન ખાંટને નજરકેદ કરાયાં છે. દ્વારકાાન પોસિત્રાના સરપંચ સોમાભાઇ નાગેશ અને તેમના મિત્રોએ દિલ્હી બોર્ડર પર જવા નક્કી કર્યુ હતું ત્યારે બીજા જ દિવસે પોલીસે આ બધાયને બે કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી પૂછપરછ કરી હતી. ઉલ્લેખનીય છેકે, પોલીસના હેરાનગતિને કારણે જ વેશપલટો કરી કેટલાંય ખેડૂતો દિલ્હી બોર્ડર પહોચ્યાં છે.
ખેડૂત નેતાઓનો આક્ષેપ છેકે, સુપ્રિમકોર્ટે પણ ખેડૂતોને વિરોધ કરવાનોહક છે તેવુ સ્પષ્ટ કહ્યુ છે ત્યારે ગુજરાતમાં પોલીસ ખેડૂતોના અવાજને દબાવવા પ્રયાસો કરી રહી છે. જો કૃષિ કાયદાથી શુ નુકશાન થવાનુ છે તે ખેડૂતોને સમજાઇ ગયુ છે. કચ્છની મુલાકાત વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે શીખોને મળ્યાં તે ભાજપના હોદ્દેદારો હતાં. વાસ્તવમાં કચ્છમાં શીખોને આજેય જમીનો મળી નથી. શીખોના નામે જમીનો કરાવાતી નથી.
જયપુર- દિલ્હી શાહનપુર બોર્ડર પર ગુજરાતના ખેડૂતોએ શહીદ ખેડૂતોને શ્રધ્ધાજંલિ આપી
આજે દિલ્હી શાહનપુર બોર્ડર પર શહીદ ખેડૂતોને શ્રધૃધાજંલિ અર્પવા કાર્યક્રમ આયોજીત કરાયો હતો જેમાં ખેડૂત આગેવાન યોેગેન્દ્ર યાદવે સભાને સંબોિધત કરી હતી. આ શ્રધૃધાજંલિ સભામાં દરેક રાજ્યના ખેડૂત આગેવાનોએ શહીદોને શ્રધૃધાજંલિ અર્પી હતી. આણંદના ખેડૂતો જયપુર દિલ્હી બોર્ડર પર પહોંચ્યાં છે. ગુજરાતના ખેડૂતો રોજરોજ આશ્ચર્યજનક કાર્યક્રમ યોજી કૃષિ કાયદાનો વિરોધ નોંધાવી રહ્યાં છે.ઉલ્લેખનીય છેકે,ગઇકાલે પણ મોડી સાંજે ગુજરાતના ખેડૂતોએ કેન્ડલ માર્ચ યોજી વિરોધ નોંધાવ્યો હતો.
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દિલ્હી રાજઘાટ પર અનિશ્ચિત કાળ માટે અનશન કરશે
હવે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ ખેડૂતોના સમર્થનમાં આવ્યાં છે. તેમણે એવી જાહેરાત કરી છેકે, 25મી ડિસેમ્બર સુધી કેન્દ્ર સરકાર ખેડૂતોની માંગણી નહી સ્વિકારે તો હું રાજઘાટ પર અનશન પર ઉતરીશ. ખેડૂતોને જીવતા રાખવા હોય તો કૃષિ કાયદો રદ કરવો જ પડશે. જો આ કાયદો રહેશે તો,ખેડૂતો પાયમાલ થઇ જશ. અટલબિહારી વાજપેયીની જન્મતિથીના દિવસથી જ અનશન પર ઉતરવાની શંકરસિંહ વાઘેલાએ જાહેરાત કરતાં રાજકારણ ગરમાયુ છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3h8LrHM
0 Response to "ગુજરાત સરકારનું બેવડુ વલણઃ ભાજપની રેલીઓને છૂટ પણ ખેડૂતોને વિરોધ કરવાનો હક નહીં, આગેવાનોને નજરકેદ કર્યાં"
Post a Comment