નારાણપર(રોહા) વિસ્તારમાં પવનચક્કીઓના પાપે વન્ય જીવોના અસ્તિત્વ પર ખતરો

નારાણપર(રોહા) વિસ્તારમાં પવનચક્કીઓના પાપે વન્ય જીવોના અસ્તિત્વ પર ખતરો


ભુજ,તા. 12 ડિસેમ્બર 2020, શનિવાર

કચ્છમાં પવનચક્કીઓના પાપે પર્યાવરણનો સોથ વળી રહ્યો છે. આમ છતા વહીવટી તંત્ર આંખ આડા કાન કરે છે. ખુદ જિલ્લા કલેક્ટર સમક્ષ રજુઆત કરાતી હોવા છતા પણ પવનચક્કીઓને આડેધડ મંજુરીઓ આપવામાં આવી રહી છે. ત્યારે, નખત્રાણા તાલુકાના નારાણપર (રોહા) સીમ વિસ્તારમાં પવનચક્કીઓના કારણે વન્ય સંપદાઓનો સોથ વળી ગયો છે. ગ્રામજનોએ આ બાબતે મામલતદાર નખત્રાણાને રજુઆત કરીને ઘટતુ કરવા માંગ કરી છે.

નારાણપર(રોહા) સીમ વિસ્તારમાં પવનચક્કીઓના કારણે કુદરતી વિશાળ વૃક્ષોનું ગાઢ જંગલ નામશેષ થવાના આરે છે. ગોરડ(દેશી ખેર), કંઠો(ખીજળો), ગુગળ, દેશી બાવળ, લ્યાર, હરમો વિગેરે જેવા મીઠા ઝાડો તેમજ અંગુર, ગાંગીટા, વીંગો, ખાખરા, મીઠી બારેડી, કિંદોર વિગેરે વૃક્ષોના અસ્તિત્ત્વ પર ખતરો મંડરાયો છે.

આ વિસ્તારમાં મીઠા પાણીના સ્ત્રોત છે. પાણીના વહેણને નુકશાની પહોંચે તેમ છે. ચારે તરફ આવેલી ફળદ્રુપ જમીન અને ખેતીને નુકશાન થાય તેમ છે. એટલુ જ નહિં, ગ્રામજનોએ આશંકા વ્યકત કરી હતી કે, પવનચક્કીના કારણે રાષ્ટ્રીય પક્ષી મોર, કબુતર, સુગરી, ઘુવડ, કાબર, ચકલી,બગલા, તેતર, સસલા સહિત ચિંકારા, નીલગાય, વીજુડા અને શિયાળ સહિતના પશુ-પ્રાણીઓ અને પંખીનો અસ્તિત્વ પણ જોખમાય તેમ છે.

ઉલ્લેખનિય છે કે, પવનચક્કી મામલે કચ્છભરમાં વિરોધ હોવા છતા પણ જિલ્લાનું વહીવટી તંત્ર અને સતાધીશો લાચાર બની ગયા હોય તેમ કામગીરી અટકાવી શકાતી નથી અને આડેધડ મંજુરીઓ આપવામાં આવતી રહે છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/342nPPF

0 Response to "નારાણપર(રોહા) વિસ્તારમાં પવનચક્કીઓના પાપે વન્ય જીવોના અસ્તિત્વ પર ખતરો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel