
જેસર તાબાના વીરપુર ગામના માસુમ બાળકને મળ્યું નવજીવન
- હૃદયરોગથી અજાગત ખેડૂત પરિવારના પુત્રનું અમદાવાદમાં સરકારી ખર્ચે સફળ ઓપરેશન કરાયું
બાળકોના આરોગ્ય માટે પ્રવૃત્તિશીલ રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત જેસરના વિરપુર ગામના ખેડૂતના નવજાત પુત્રના હૃદય રોગનું નિદાન કરી અમદાવાદની સીવીલ હોસ્પીટલમાં તાજેતરમાં સફળ ઓપરેશન કરી ભય મુક્ત જાહેર કરવામાં આવ્યુ હતુ.
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય સુરક્ષા અંતર્ગત જેસર તાલુકાના અયાવેજ પીએચસીના વિરપુર ગામના વાડી વિસ્તારમાં રહેતા જયવંતસિંહ ચૌહાણના પુત્ર મિતરાજસિંહને શ્વાસ ચડવો,વધારે રડવાની તથા હોઠ ભૂરા પડી જવાની તકલીફ જણાતા આરબીએસકેની ટીમે તેના ઘરે જઈ તપાસ કરતાં હૃદયરોગ શંકાસ્પદ હોવાથી વધુ નિદાન અને સારવાર અર્થે સંદર્ભ કાર્ડ અને દરખાસ્ત ભરી ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે રીફર કરાયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની યુ એન મહેતા સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન માટે રીફર કરવામાં આવ્યું હતું ત્યાં તેના હૃદયમાં લાર્જ વીએસડી અને ટ્રુન્કુસ આર્ટરીયોસુનની તકલીફ હોવાનું નિદાન થયું હતું. પ્રારંભે ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા મિતરાજસિંહના વાલીએ ઓપરેશન કરવા બાબતે અસંમતિ દર્શાવી હતી. પરંતુ મેડિકલ ટીમ દ્વારા વાલીને ઓપરેશનની વિગતો તથા આવશ્યકતાથી વાકેફ કરાવી મનાવ્યા હતા આમ હૃદયનું જટિલ અને દસ લાખ સુધીનું ખર્ચાળ ઓપરેશન ખેડૂત પરિવાર માટે વિનામૂલ્યે થતાં તથા આવન-જાવન માટે ટિકિટનો ખર્ચ અને ત્યાં જમવાનો ખર્ચ પણ સરકારએ ભોગવતા સમગ્ર પરિવારમાં ખુશીની લહેર છવાઇ હતી. તાલુકા હેલ્થ ઓફિસર ડોે. રજણીયા ચંદ્રકાન્તભાઈના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમની કામગીરીને બિરદાવી છે.
સરકાર રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જન્મજાત ગંભીર રોગો જેવા કે જન્મજાત હૃદયરોગ. બધિરતા,મોતિયો. કલેફટલીય અને પલેટ જેવા રોગોને શોધીને સંદર્ભ કાર્ડ ભરી સારવાર તદ્દન વિનામૂલ્યે કરવામાં આવે છે આ કાર્યક્રમમાં ૦ થી ૧૮ વર્ષના શાળાના અને આંગણવાડીના તમામ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવે છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36AVFwP
0 Response to "જેસર તાબાના વીરપુર ગામના માસુમ બાળકને મળ્યું નવજીવન"
Post a Comment