
શિયાળાની ઋુતુએ મિજાજ બદલતા બાળ દર્દીઓના પ્રમાણમાં ચિંતાજનક વધારો
ભાવનગર, તા. 3 ડિસેમ્બર 2020, ગુરૂવાર
ભાવનગર સહિત ગોહિલવાડમાં શિયાળાની ઋુતુએ ધીમે ધીમે તેનો અસલી મિજાજ બતાવવાનું ચાલુ કરતા મોટેરાઓ અને ખાસ કરીને માસુમ બાળકોમાં વાયરલ ઈન્ફેકશનના પ્રમાણમાં એકાએક નોંધપાત્ર પ્રમાણમાં ચિંતાજનક વધારો થતા વાલીઓમાં ભારે દોડધામ મચી જવા પામેલ છે.
છેલ્લા એક અઠવાડિયાથી શહેરમાં ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધી રહેલ છે. જેના કારણે માસુમ બાળકો સહિત સૌ કોઈ એલર્જીક એસ્થમેટીક પ્રોમ્ફાઈસીસ એટલે કે, વાયરલ ઈન્ફેકશનના કેસમાં વધારો થતા શહેરમાં ઘેર ઘેર માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. અને તમામ સરકારી અને ખાનગી દવાખાનાઓમાં તેના ઓપીડી કેસો વધી રહ્યા છે.વધતી જતી ઠંડીના કારણે વાયરલ ઈન્ફેકશન વધતા શહેરની સરકારી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ સામુહિક અને પ્રાથમીક આરોગ્ય કેન્દ્રો બાળ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે.
અન્ય ઋુતુની સરખામણીમાં હાલ ઠંડીની ઋતુમાં વાયરલ ઈન્ફેકશનના દર્દીઓ વધી જતા હોય છે. શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલમાં પ્રતિદિન ૨૦૦ આસપાસ બાળ દર્દીઓની ઓપીડી નોંધાય છે. તે જ રીતે સ્થાનિક ખાનગી દવાખાનાઓ ઉપરાંત ફેમીલી ડોકટર પાસે પણ દરરોજના અનેક બાળ દર્દીઓ તબીબી સારવાર લેવા આવતા દ્રશ્યમાન થાય છે. દરમિયાન તબીબોએ હેલ્થ ટીપ્સ આપતા જણાવ્યુ હતુ કે, શિયાળામાં બાળકોને ગરમ કપડા પહેરાવી રાખવા જોઈએ, એલર્જીના અન્ય દર્દીઓથી તેમજ અત્તર અને અન્ય સ્પ્રેથી પણ બાળકોને દુર રાખવા જોઈએ.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oeEG9A
0 Response to "શિયાળાની ઋુતુએ મિજાજ બદલતા બાળ દર્દીઓના પ્રમાણમાં ચિંતાજનક વધારો"
Post a Comment