રંગપુરડામાં ફેલાયેલા વાયુ પ્રદૂષણથી ગ્રામજનોને શ્વાસ લેવામાં તકલીફ

રંગપુરડામાં ફેલાયેલા વાયુ પ્રદૂષણથી ગ્રામજનોને શ્વાસ લેવામાં તકલીફ

મહેસાણા,તા.10 ડીસેમ્બર 2020, ગુરૂવાર

કડીમાં ત્રણ દિવસથી ફેલાયેલા વાયુ પ્રદૂષણને કારણે ગ્રામજનોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને ગળા તેમજ નાકમાં ભળતરા થવાની ફરિયાદો ઉઠી છે. સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ અંગે સરપંચ દ્વારા જાણ કરવામાં આવતાં મોડી રાત્રે આરોગ્ય સહિત તંત્રની ટીમો દોડી આવી હતી. અને ૪૦થી વધુ અસરગ્રસ્ત લોકોની તબીબી ચકાસણી કરવામાં આવી હતી.

રંગપુરડા ગામમાં છેલ્લા ત્રણ દિવસથી ઝેરી વાયુ પ્રદૂષણ ફેલાતાં ગ્રામજનોએ શ્વાસ લેવામાં તકલીફ શરૃ થઈ હતી. જ્યારે ગળા અને નાકમાં ભળતરા થવાની ફરિયાદો ઉઠી હતી. જેમાં કોઈ કેમિકલ ફેક્ટરી દ્વારા ઝેરી વાયુ છોડાયો હોવાથી ગ્રામજનોના આરોગ્ય જોખમાય તેવી ગંભીર સ્થિતિનું સર્જન થયું હોવાનું અનુમાન છે. આ અંગે રંગપુરડાના સરપંચ બાબુભાઈ સોલંકીએ બુધવારની સાંજે કડીના મામલતદાર, ટીડીઓ તેમજ આરોગ્ય વિભાગને જાણ કરી હતી. જોકે પાંચ કલાક વિતી ગયા બાદ રાત્રે સાડા દશ વાગ્યાના સુમારે રંગપુરડા ગામમાં ટીડીઓ સહિત આરોગ્યની ટીમો આવી પહોંચી હતી. જ્યારે પ્રદૂષણ વિભાગ પણ દોડયું હતું.

કડી તાલુકાના રંગપુરડા ગામમાં ફેલાયેલા વાયુ પ્રદૂષણને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા વહિવટીતંત્રની ટીમોએ તપાસ આદરી હતી. તેમજ ઝેરી વાયુથી શ્વાસ અને ગળા તેમજ નાકમાં બળતરાનો ભોગ બનેલા ૪૦થી વધુ અસરગ્રસ્ત લોકોની આરોગ્યતંત્રની ટીમો દ્વારા તબીબી ચકાસણી કરવામાં આવી હતી.

૫૦ જેટલા લોકોને વાયુ પ્રદૂષણની અસરઃ ઉપસરપંચ

કડી તાલુકાના રંગપુરડામાં સર્જાયેલી પરિસ્થિતિ અંગે ઉપસરપંચ રમેશજી ઠાકોરે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસથી ગ્રામજનોને શ્વાસ તેમજ ગળા અને નાકમાં બળતરા થઈ રહી છે. ગુરુવારે તેની વધુ અસર જોવા મળી હતી. તંત્રને જાણ કર્યા બાદ રાત્રીના સુમારે આરોગ્યની ટીમો ગામમાં પહોંચી હતી અને ઝેરી વાયુની અસર પામેલા ૫૦ જેટલા લોકોની તપાસ કરવામાં આવી હતી.

સર્જાયેલી પરિસ્થિતિને લઈ ગ્રામજનોમાં ફફડાટનો માહોલ

રંગપુરડા ગામમાં ત્રણ દિવસથી ફેલાયેલા વાયુ પ્રદૂષણથી લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થતાં ફફડાટનો માહોલ ઉભો થયો છે. ગ્રામજનો કોરોના મહામારી વચ્ચે શ્વાસ લેવામાં તકલીફ ઉભી થતાં તેમજ નાક અને ગળામાં બળતરા શરૃ થતાં ચિંતામાં મુકાયા છે. અને જવાબદારો સામે પગલાં ભરવા માંગ ઉઠી છે.

ઘટના અંગેનું ચોક્કસ કારણ મળ્યું નથી ઃ ટીડીઓ

કડી તાલુકાના રંગપુરડામાં સામે આવેલી ઘટનાની જાણ થતાં રાત્રે જ પહોંચેલા ટીડીઓ એમ.વી.ઝાલાએ જણાવ્યું હતું કે ગામમાં તિવ્ર વાસ શરૃ થયા બાદ લોકોને ઉધરસ અને ગળામાં બળતરા શરૃ થઈ હતી. જેથી આરોગ્ય અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમો પહોંચી હતી. જેમાં ૪૦ અસરગ્રસ્ત લોકોની મેડીકલની ટીમોએ તપાસ કરી દવાઓ આપવામાં આવી હતી. જોકે ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ મળી શક્યું નથી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qLFe8Y

0 Response to "રંગપુરડામાં ફેલાયેલા વાયુ પ્રદૂષણથી ગ્રામજનોને શ્વાસ લેવામાં તકલીફ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel