
મધ્યમ વર્ગની મુશ્કેલીમાં વધારોઃ ખેડૂત આંદોલન - માવઠાને લીધે શાકભાજીના ભાવમાં ધરખમ વધારો
અમદાવાદ, તા. 13 ડિસેમ્બર 2020 રવિવાર
રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં રહેલા પાકને નુકસાન થયું છે. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. આ ઉપરાંત દિલ્હીની બોર્ડર પર ચાલી રહેલા ખેડૂતો આંદોલનની અસર ગુજરાત પર જોવા મળી રહી છે. ગુજરાતમાં શાકભાજીના ભાવના વધારો થયો રહ્યો છે.
ખેડૂતોના આંદોલનના કારણે પંજાબ અને હરિયાણાથી ગુજરાતમાં આવતી ડુંગળી અને બટાકા બંધ થઈ ગયા છે. તો બીજી તરફ ગુજરાતમાં ડુંગળી અને બટાકાનો સ્ટોક ઓછો છે અને તેની સામે માગમાં વધારો થઈ રહ્યો છે. તેથી તેના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. એક સમયે 20 રૂપિયા કિલોના ભાવે મળતા બટાકાના ભાવ 50થી 70 રૂપિયા થઇ ગયા છે. આ ઉપરાંત ડુંગળીના ભાવમાં પણ 60થી 70 રૂપિયા થઇ ગયા છે.
ડુંગળી અને બટાકાની સાથે-સાથે મરચાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. એક સમયે 40થી 50 રૂપિયા કિલોના ભાવે મળતા 160 રૂપિયા કિલોના ભાવે મળી રહ્યા છે. શાકભાજીના ભાવમાં વધારો થયો હોવાના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે.
જો ખેડૂતોની આંદોલન વધારે દિવસો સુધી લંબાશે અને પંજાબ અને હરિયાણાથી આવતી ડુંગળી અને બટાકાની સપ્લાય શરૂ નહીં થાય તો આગામી દિવસોમાં હજુ પણ શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી શકે છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oMdmj7
0 Response to "મધ્યમ વર્ગની મુશ્કેલીમાં વધારોઃ ખેડૂત આંદોલન - માવઠાને લીધે શાકભાજીના ભાવમાં ધરખમ વધારો"
Post a Comment