
સૌરાષ્ટ્રમાં 290 કોરોનાગ્રસ્ત - 17 દર્દીઓના મોત
- જામનગરમાંકોરોનામાં ફરી ફુંફાળો 29 કેસ અને 7ના મોત
રાજકોટ,તા.11 ડિસેમ્બર 2020, શુક્રવાર
એક મહિનાના લાંબા ગાળા બાદ કોરોના નબળો પડયો હોવાના સંકેતો મળ્યા હતા. પરંતુ આજે કોરોનાએ ફરી કૂદકો માર્યો છે. રાજકોટ સહિત તમામ જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૯૦ નવા કેસ નોંધાયા છે. તેની સામે ૩૦૭ દર્દીઓના હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. દરમિયાન રાજકોટમાં ૮ જામનગરમાં ૭ સહિત ૧૭ દર્દીઓના મોત નીપજ્યા છે.
રાજકોટ શહેરમાં આજે એક જ દિવસમાં નવા ૯૬ કેસ નોંધાતા કુલ આંકડો ૧૧૯૮૧ સુધી પહોંચ્યો છે. હાલ ૮૧૬ દર્દીઓ ઘરે સારવાર લઈ રહ્યા છે. આજે ૯૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા હતા. જ્યારે ગ્રામ્યમાં વધુ ૩૩ નવા કેસ નોંધાયા હતા. જ્યારે ૩૮ દર્દીઓને રજા આપવામાં આવી હતી. જિલ્લામાં પોઝીટીવીટી રેટ થોડો ઘટયો છે. હાલ ૧.૬ ટકા પોઝીટીવીટી રેટ નોંધાયો છે. રાજકોટ જિલ્લાની હોસ્પિટલમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન આઠ દર્દીઓએ દમ તોડયો હતો. જિલ્લામાં કોરોનાએ માથુ ઊંચકતા લોકોમાં ફરી એકવાર ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
જામનગરમાં પણ એક દિવસની રાહત બાદ ફરી કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. શહેરમાં ૨૧ અને ગ્રામ્યમાં ૮ સહિત ૨૯ પોઝીટીવ કેસ નોંધાયા હતા. તેની સામે ૩૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. આજે જી. જી. હોસ્પિટલમાં કોરોનાના વિસ્ફોટથી ૭ દર્દીઓના મૃત્યુ થયા છે. હાલ ૧૩૭ દર્દીઓ સારવાર હેઠળ છે.
પોરબંદરમાં કોરોનાએ ફરી બેના ભોગ લીધા છે. ત્રણ દિવસમાં કુલ પાંચ દર્દીઓના મૃત્યુ થયા છે. દરમિયાન આજે ચાર નવા કેસ નોંધાયા હતા અને બે દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ જિલ્લામાં વધુ ૧૮ નવા કેસ નોંધાયા હતા તેની સામે ૩૪ દર્દીઓને રજા અપાઈ હતી. જૂનાગઢ શહેરમાં ૧૦ કેશોદ વંથલી વિસાવદરમાં બે-બે કેસ મળી ૧૮ પોઝીટીવ કેસ નોંધાયા છે.
ગીર સોમનાથ જિલ્લામાં કોરોના હજુ કેળો મુકતો નથી. વેરાવળ ૬ સુત્રાપાડામાં ૧ કોડીનારમાં ૧ ઉનામાં ૧ અને ગીરગઢડામાં ૧ સહિત કુલ ૧૦ કેસ નોંધાયા છે. જ્યારે ૨૦ દર્દીઓને રજા અપાઈ હતી. અમરેલીમાં નવા ૨૨ કેસ એક જ દિવસમાં નોંધાયા હતા. હાલ ૧૭૩ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જ્યારે ૧૪ દર્દીઓને રજા અપાઈ હતી. કુલ ૩૩૪૦ લોકો સંક્રમિત થયા છે. મોરબી જિલ્લામાં પણ કોરોના હજુ થાક્યો નથી. આજે એક જ દિવસમાં ૧૬ નવા કેસ નોંધાયા હતા, જ્યારે ૧૭ને રજા આપવામાં આવી હતી. જિલ્લામાં હાલ ૨૧૩ એક્ટિવ કેસ છે. સુરેન્દ્રનગર ૧૬, બોટાદ ૮ અને ભાવનગરમાં ૩૫ નવા કેસ સાથે સૌરાષ્ટ્રમાં કુલ ૨૯૦ કેસ એક જ દિવસમાં નોંધાયા છે.
ક્યા કેટલા કેસ
રાજકોટ શહેર ૯૬, રાજકોટ ગ્રામ્ય ૩૩, જામનગર ૨૯, જૂનાગઢ ૧૮, અમરેલી ૨૨, પોરબંદર ૪, ગીર સોમનાથ ૧૦, દેવભૂમિ દ્વારકા ૩, મોરબી ૧૬, સુરેન્દ્રનગર ૧૬, બોટાદ ૮, ભાવનગર ૩૫
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mfskwh
0 Response to "સૌરાષ્ટ્રમાં 290 કોરોનાગ્રસ્ત - 17 દર્દીઓના મોત"
Post a Comment