સૌરાષ્ટ્રમાં 233 નવા કેસ , 305 કોરોનામુકત

સૌરાષ્ટ્રમાં 233 નવા કેસ , 305 કોરોનામુકત


- જામનગર  જિલ્લામાં ર૧ કેસ - બે નાં મૃત્યુ,  એકટીવ કેસ  ઘટયાઃ અમરેલી ૯, ગીર સોમનાથ ૬ અને પોરબંદરમાં માત્ર એક પોઝીટીવ 

રાજકોટ, તા. 18 ડિસેમ્બર 2020, શુક્રવાર 

લાંબા સમયે અંતે કોરોના થાકયો છે. સોૈરાષ્ટ્રમાં આજે કોરોનાનાં કેસ  અને મોતની સંખ્યામાં ઘટાડો થતા લોકો અને તંત્રએ રાહતનો દમ લીધો છે. પીક પોઈન્ટ બનેલા રાજકોટ અને જામનગરમાં  આજે કેસ ઘટયા છે. સોૈરાષ્ટ્રમાં છેલ્લા ર૪ કલાકમાં ર૩૩ નવા કેસ નોંધાયા છે તેની સામે ડિસ્ચાર્જની સંખ્યા વધીને ૩૦૭ થઈ છે. દરમિયાન રાજકોટ જિલ્લામાં આજે માત્ર એક જ મોત સાથે સોૈરાષ્ટ્રમાં કુલ ત્રણ મોત નીપજયા હતા. 

રાજકોટમાં છેલ્લા એકાદ મહિનાથી રોજનાં ૯પ થી ૧૦૦ આસપાસ નવા કેસ નોંધાતા હતા જયારે લાંબા સમય બાદ આજે નવા કેસ ૮૬ નોંધાતા કુલ ૧ર૬૭૦ સુધી કુલ આંકડો પહોંચ્યો હતો. રાજકોટમાં રિકવરી રેટ વધીને ૯ર ટકા સુધી થયો હતો. હાલ ૮૩૦ દર્દીઓ શહેરમાં સારવાર લઈ રહયા છે. આજે ૮૮ દર્દીને રજા આપવામાં આવી હતી. રાજકોટ ગ્રામ્યમાં આજે નવા ૩૬ કેસ નોંધાયા હતા. જિલ્લામાં પોઝીટીવીટી રેટ ૧.૯ ટકા સુધી નીચે આવી ગયો છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી સરેરાશ ૪ થી ૭ સુધીનાં મોત નોંધાઈ રહયા હતા જયારે આજે લાંબા સમય બાદ આજે માત્ર એક દર્દીનું મોત થયુ હતુ. બીજી રાહત એ પણ રહી કે કોરોના દર્દી માટે હોસ્પિટલમાં બેડની સંખ્યા સતત વધી રહી છે હાલ ર૧૧૮ બેડ સિવિલ અને ખાનગીમાં મળીને ખાલી છે. 

જામનગરમાં પણ કોરોના નબળો પડયો છે. શહેરમાં ૧૪ સહિત જિલ્લામાં ૭ મળીને કુલ ર૧ નવા કેસ નોંધાયા હતા જયારે જી.જી. હોસ્પિટલમાં બે દર્દીનાં મોત થયા હતા. હાલ કોવિડ વોર્ડમાં ૯૩ દર્દીઓ સારવાર લઈ રહયા છે. શહેરમાં ર૪ મળીને જિલ્લામાં કુલ ૩૯ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. દેવભૂમી દ્રારકામાં કોરોનાનો કહેર ધીરે ધીરે ઘટી રહયા છે. આજે ૬ નવા કેસ નોંધાયા હતા. 

જૂનાગઢમાં  કોરોનાનાં કેસમાં સામાન્ય રાહત થઈ છે. શહેરમાં ૧૧ , કેશોદ, માળીયા અને માણાવદરમાં બે - બે કેસ સાથે જિલ્લામાં કુલ ૧૯ કેસ નોંધાયા હતા જયારે આજે ર૬ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. પોરબંદર ફરી એક વાર કોરોના મુકિત તરફ આગળ વધી રહયો છે.શુક્રવારે પ૭૪ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બે દિવસમાં માત્ર એક જ પોઝીટીવ કેસ નોંધાયો હતો. હાલમાં ૩૪ એકટીવ છે. કોવિડ વોર્ડમાં ૧૧ દર્દીઓ સારવાર લઈ રહયા છે. 

અમરેલીમાં કોરોના હવે હળવો પડી રહયો છે. આજે સિંગલ ડિઝીટમાં ૯ કેસ નોંધાયા હતા જયારે રર દર્દીને રજા અપાઈ હતી. ૧પર દર્દીઓ હાલ સારવાર લઈ રહયા છે. ગીર સોમનાથ જિલ્લામાં ૬ પોઝીટીવ કેસ નોધાયા હતા. મોરબીમાં પણ કેસ ઘટીને ૯ થતા લોકોએ રાહતનો દમ લીધો હતો. મોરબીમાં ડિસ્ચાર્જની સંખ્યા વધીને ૧પ ની થઈ હતી. સુરેન્દ્રનગરમાં ૧૭ ,બોટાદ ૬ અન ે ભાવનગર ૧૭ નવા કેસ નોંધાયા હતા. સમગ્ર સોેરાષ્ટ્રમાં છેલ્લા ર૪ કલાકમાં ર૩૩ કેસ નોંધાયા હતા. 

કયાં કેટલા કેસ ? 

રાજકોટ શહેર ૮૮ , રાજકોટ ગ્રામ્ય ૩૬, જામનગર ર૧ , જુનાગઢ ૧૯, અમરેલી ૯, ગીર સોમનાથ  ૬, દેવભૂમી દ્રારકા ૬ , મોરબી ૯ , સુરેન્દ્રનગર ૧૭ , બોટાદ ૬ , ભાવનગર ૧૭.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mrY9SQ

0 Response to "સૌરાષ્ટ્રમાં 233 નવા કેસ , 305 કોરોનામુકત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel