કોરોનાની સ્પીડ યથાવત, વધુ 20 કેસ, કુલ પ૪૪ર

કોરોનાની સ્પીડ યથાવત, વધુ 20 કેસ, કુલ પ૪૪ર


ભાવનગર, તા. 10 ડિસેમ્બર 2020, ગુરૂવાર

કોરોના વાયરસની સ્પીડ ભાવનગર શહેર અને જિલ્લામાં યથાવત જોવા મળી રહી છે તેથી લોકોની મુંઝવણ વધી છે. આજે ગુરૂવારે ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાના કુલ ર૦ કેસ નોંધાયા છે, જેમાં શહેરમાં ૧પ અને જિલ્લામાં પ કેસનો સમાવેશ થાય છે. કોરોનાના દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે, જયારે દર્દીના સંપર્કમાં આવનાર વ્યકિતઓને કોરોન્ટાઈન-હોમ કોરોન્ટાઈન કરવામાં આવેલ છે. 

ભાવનગર શહેર-જિલ્લામાં આજે ગુરૂવારે કોરોનાના વધુ ર૦ કેસ નોંધાયા હતાં. શહેરના જુદા જુદા વિસ્તારમાં કોરોનાના ૧પ કેસ નોંધાયા હતા, જેમાં ૧૧ પુરૂષ અને ૪ ીનો સમાવેશ થાય છે, જ્યારે જિલ્લામાં કોરોનાનો પ કેસ નોંધાયો છે, જેમાં સિહોર તાલુકાના સોનગઢ ગામ ખાતે ૩, ઉમરાળા તાલુકાના લીંબડા ગામ ખાતે ૧ તથા મહુવા તાલુકાના નેસવડ ગામ ખાતે ૧ દર્દીનો સમાવેશ થાય છે. કોરોનાના ર૩  સ્વસ્થ થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, જેમાં મહાપાલિકાના ૧૬ અને તાલુકાના ૭ દર્દીનો સમાવેશ થાય છે. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનુ રહેશે.

દર્દીઓને તત્કાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જયારે દર્દીના સંપર્કમાં આવનાર વ્યકિતઓને કોરોન્ટાઈન અને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતાં. દર્દી જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારમાં સેનેટાઈઝ, દવા છંટકાવ વગેરે કામગીરી હાથ ધરવામાં આવી હોવાનુ જાણવા મળેલ છે. કોરોનાના કેસ આવ્યા છે તે વિસ્તારમાં માઈક્રો કન્ટેમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે.  

ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાના કુલ પ,૪૪ર કેસ નોંધાયા છે, હાલ હોસ્પિટલમાં ૯પ દર્દી સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ પર૭૧ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં ૬૯ દર્દીઓના મોત નિપજયા છે. કોરોનાનુ સંક્રમણ અટકવાનુ નામ લેતુ નથી ત્યારે આરોગ્ય વિભાગે કડક પગલા લેવા જરૂરી છે. લોકોએ પણ કોરોનાથી બચવા જાગૃત રહેવુ જોઈએ તેમ જાગૃત નાગરીકોમાં ચર્ચાય રહ્યુ છે. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/374rv59

0 Response to "કોરોનાની સ્પીડ યથાવત, વધુ 20 કેસ, કુલ પ૪૪ર"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel