
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ હળવું પડયું : નવા 10 કેસ
સુરેન્દ્રનગર, તા.21 ડિસેમ્બર 2020, સોમવાર
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે અને દિન-પ્રતિદિન લોકલ સંક્રમણ વધતાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો સતત વધી રહ્યાં છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે અને બીજી બાજુ જિલ્લામાં કોરોનાથી મોતની સંખ્યા પણ દિન-પ્રતિદિન વધતાં તંત્ર સહિત લોકો માટે ચીંતાનો વિષય બન્યો છે.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં અનલોક દરમ્યાન કોરોના વાયરસના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે જેમાં જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વધતાં દરરોજ બીનસત્તાવાર રીતે અંદાજે ૧૦થી વધુ કોરોના પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યાં છે જો કે સરકારી ચોપડે માત્ર મર્યાદિત કેસો જ દર્શાવવામાં આવી રહ્યાં છે. ત્યારે જિલ્લામાં એક જ દિવસમાં વધુ ૧૦ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતાં અને જિલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંક-૩૫૨૦ થયો હતો.
આ તમામ દર્દીઓને હોમ આઈસોલેશન અથવા શહેરની સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.
જેમાં સુરેન્દ્રનગર અને વઢવાણ સહિત શહેરી વિસ્તારો તેમજ જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં અંદાજે ત્રણથી વધુ વ્યક્તિના કોરોનાથી મોત નીપજ્યાં હતાં આ તમામ મૃતકોની કોરોનાની ગાઈડલાઈન મુજબ અંતિમ વિધિ કરવામાં આવી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WAbaPF
0 Response to "સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ હળવું પડયું : નવા 10 કેસ"
Post a Comment