
અમદાવાદ: જમાલપુર શાક માર્કેટમાં લોકોની ભીડ, માસ્ક વગર બેફામ ફરી રહ્યા છે લોકો
અમદાવાદ, તા. 23 નવેમ્બર 2020 સોમવાર
રાજ્ય સરકાર દ્વારા કોરોના પર કાબુ મેળવવા માટે અમદાવાદ શહેરમાં રાત્રિ કર્ફ્યું સહિત શનિવાર અને રવિવારના રોજ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો હતો. જો કે સોમવારે આજે વહેલી સવારે કર્ફ્યુ ખુલતાની સાથે ફરી લોકોની ભીડ જોવા મળી છે. શહેરના જમાલપુરની શાકમાર્કેટમાં લોકોની ભીડ જોવા મળી. જેમાં લોકો માસ્ક વગર ફરી રહ્યા હોવાનું જોવા મળ્યું છે.
અમદાવાદ શહેરમાં 57 કલાકના કર્ફ્યૂ પૂર્ણ થયા બાદ ફરી અમદાવાદના રસ્તા ઉપર લોકોની ભીડ જોવા મળી રહી છે. અમદાવાદનું જમાલપુર શાકમાર્કેટ લોકોને ભીડથી છલકાઈ રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો શાકભાજીની ખરીદી અને વેચાણ કરવાની આવી રહ્યા છે.
જો કે માર્કેટમાં મોટાભાગના ખરીદી કરવા આવનાર ગ્રાહક અને વેપારીઓના ચહેરા ઉપર માસ્ક જોવા મળી નથી મળી રહ્યું. લોકો દંડથી બચવા માટે માત્ર પહેરવા ખાતર માસ્ક પહેરતા હોય તેમ નાકના નીચેના ભાગમાં માસ્ક રાખે છે. હજુ લોકોમાં જાગૃતતા જોવા મળી રહી નથી.
બીજી તરફ માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ થતો જોવા મળી રહ્યો છે. જો આવી જ પરિસ્થિતિ રહી અને લોકોમાં જાગૃતતા નહિ આવે તો શહેરમાં વધતા જતા કોરોનાના કેસ પર કાબુ મેળવવો મુશ્કેલ બની જશે હવે લોકોમાં સ્વયં જાગૃતિની જરૂર છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lUAgE8
0 Response to "અમદાવાદ: જમાલપુર શાક માર્કેટમાં લોકોની ભીડ, માસ્ક વગર બેફામ ફરી રહ્યા છે લોકો"
Post a Comment