
ભાવનગરના નવા બંદરે કિક જેટીના માળખાને થયેલ નુકસાનથી જોખમ
ભાવનગર, તા. 28 નવેમ્બર 2020, શનિવાર
ભાવનગરને સી.એન.જી. ટર્મીનલની જાહેરાતો થઇ અને વિકાસ દ્વાર ખુલવાની આશા બંધાણી પરંતુ સ્થાનિક કક્ષાએ જે જરૂરીયાત પૂર્ણ થવી જોઇએ તેમાં હજુ પહેલી પુણી ભરાઇ નથી. નવા બંદરનો વિકાસ કરવા વારંવાર ચેમ્બરે રજૂઆતો કરી છે પરંતુ પોર્ટ કચેરી દ્વારા કશુ ભલેવાળ થયો નથી. કીક જેટીનું તુટેલુ માળખુ જોખમરૂપ બન્યું છે પણ નવીનીકરણ થતું નથી.
ભાવનગરના વિકાસમાં નવું બંદર મહત્વનું પ્રદાન કરી શકે તેમ છે. ભાવનગરનો વિકાસ નવા બંદરના વિકાસ સાથે સીધો સબંધ ધરાવે છે. કાર્ગો હેન્ડલિંગની કામગીરીમાં સતત વધારો થઇ રહેલ છે. આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રીએ જાહેરાત કર્યાં મુજબ ભાવનગર ખાતે રૂપિયા ૧૨૦૦ કરોડના ખર્ચે સી.એન.જી. ટર્મિનલની સ્થાપના થનાર છે. આ સંજોગોમાં ભાવનગર બંદર રાષ્ટ્રના દરિયાઇ નકશામાં મહત્વનું બંદર બની રહેશે તેથી એક્ષ્પોર્ટરો અને સ્ટીવીડોર્સ ઓપરેટરને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ સત્વરે કરવું જોઇએ. જે માટે ચેમ્બર દ્વારા સદર પત્રમાં વિવિધ રજૂઆત કરવામાં આવેલ છે જેમાં લોકગેટ વિસ્તારની ચેનલ તેમજ ભાવનગર બંદર વિસ્તારમાં બેરેજ કામગીરીને ટકાવી રાખવા માટે વહેલી તકે આ જગ્યામાં યોગ્ય અને સતત ડ્રેજીંગ હાથ ધરવું જોઇએ.
ક્રિક જેટીના માળકાને ગંભીર રીતે નુકશાન થયેલ છે અને સતત રજૂઆત અને વારંવાર ફોલોઅપ કરવા છતાં તેના પુનઃ ગઠન-નવીનીકરણનું કામ હજુ સુધી શરૂ કરાયેલ નથી જેથી બંદરની કામગીરીમાં રોકાયેલા માણસો અને મશીનરી માટે ખુબ જ જોખમરૂપ સાબિત થાય તેમ છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mhX0y7
0 Response to "ભાવનગરના નવા બંદરે કિક જેટીના માળખાને થયેલ નુકસાનથી જોખમ"
Post a Comment