રાત્રિ કરફ્યૂ : એસ.ટી.ની બસોનું શિડયૂલ મોડું-વહેલું, રાતની બસ કેન્સલ કરી દેવાઈ

રાત્રિ કરફ્યૂ : એસ.ટી.ની બસોનું શિડયૂલ મોડું-વહેલું, રાતની બસ કેન્સલ કરી દેવાઈ


ભાવનગર,તા. 24 નવેમ્બર 2020, મંગળવાર

રાજ્યમાં કોરોના વાયરસની મહામારી ફરી ગંભીર સ્તરે પહોંચી જતાં અમદાવાદ સહિતના ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ મુકી દેવામાં આવ્યો છે. જેના કારણે પરિવહન સેવાને તેની અવળી અસર પડી છે. ભાવનગર એસ.ટી.ની કેટલીક બસોના ટાઈમ શિડયૂલ વહેલા-મોડા કરી દેવાયા છે. તો અમદાવાદની રાત્રિની આવક-જાવકની બસોને કેન્સલ કરી દેવાઈ છે.

અમદાવાદમાં બે દિવસના સંપૂર્ણ લોકડાઉનને કારણે એસ.ટી. અને ખાનગી બસો બંધ કરી દેવાયા બાદ ગઈકાલે ફરી અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કરફ્યૂ હોવાને કારણે એસ.ટી. બસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. રાત્રિ કરફ્યૂ-પ્રતિબંધના કારણે ગઈકાલ સોમવારથી જ ભાવનગરથી સુરત જતી એસ.ટી. બસનો ટાઈમ શિડયૂલ બે કલાક મોડો કરાયો હતો. સુરતમાં રાત્રિ કરફ્યૂ ખુલ્યા બાદ વહેલી સવારે પહોંચી શકાય તે રીતે આયોજન કરી સાંજની પાંચ વાગ્યાની બસ બેથી અઢી કલાક મોડી ઉપાડવામાં આવી હતી. શિડયૂલ લેઈટ થયાની જાણ ન કરાતા મુસાફરો એસ.ટી. બસ સ્ટેન્ડમાં કલાકો સુધી બેસી રહેવું પડયું હતું.

વધુમાં રાત્રિ કરફ્યૂ હોવાથી અમદાવાદ સિટીમાં એસ.ટી.ની બસને એન્ટર કરવાના બદલે બાયપાસ રીંગ રોડ પરથી જ મુસાફરોને ભરવામાં આવ્યા છે. અમદાવાદ રૂટની રાત્રિની આવક-જાવકની બસો કેન્સલ કરી બે ટાઈમમાં ટ્રીપનું સંચાલન થઈ રહ્યું છે. જ્યારે ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યૂની અમલવારીના પગલે ભાવનગર વિભાગની કેટલીક બસોનું ટાઈમ ટેબલ વહેલું-મોડું કરાયું હોવાનું એસ.ટી.ના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36YxcjO

0 Response to "રાત્રિ કરફ્યૂ : એસ.ટી.ની બસોનું શિડયૂલ મોડું-વહેલું, રાતની બસ કેન્સલ કરી દેવાઈ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel