બાલાસિનોરમાં 8 દર્દી સહિત જિલ્લામાં કોરોના વાઇરસના 16 પોઝિટિવ કેસ

બાલાસિનોરમાં 8 દર્દી સહિત જિલ્લામાં કોરોના વાઇરસના 16 પોઝિટિવ કેસ


બાલાસિનોર, તા. 29 નવેમ્બર 2020, રવિવાર

મહીસાગર જિલ્લામાં આજે બાલાસિનોર તાલુકાની ૪ સ્ત્રી, ૪ પુરૂષ, ખાનપુર તાલુકાના ૩ પુરૂષ, લુણાવાડા તાલુકાની ૨ સ્ત્રી, સંતરામપુર તાલુકાના ૩ પુરૂષોનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

આમ, જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં એટલે કે તારીખ ૨૯-૧૧-૨૦૨૦ના સાંજના ૪.૩૦ વાગ્યા સુધીમાં ૧૬૭૩ કેસ પોઝીટીવ નોંધાયા છે.

આજે જિલ્લામાં સારવાર લઇ રહેલ દર્દીઓ પૈકી બાલાસિનોર તાલુકાની ૬ સ્ત્રી, ૭ પુરૂષ, કડાણા તાલુકાના ૧ પુરૂષ, ખાનપુર તાલુકાની ૧ સ્ત્રી, ૨ પુરૂષ, લુણાવાડા તાલુકાના ૧ પુરૂષ, સંતરામપુર તાલુકાના ૩ પુરૂષ, વિરપુર તાલુકાની ૧ સ્ત્રીએ કોરોનાને મહાત આપતાં રજા આપવામાં આવતાં સ્વગૃહે પરત ફર્યા છે. આમ, જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૪૩૩ દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.

જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે ૮ વ્યક્તિનું મૃત્યુ થયા છે. જ્યારે અન્ય કારણથી ૩૫ દર્દીનું મૃત્યુ થતાં જિલ્લામાં કુલ ૪૩ મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફ્લુ કોરોનાના કુલ ૮૮૦૨૦ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના ૪૭૫ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.

મહીસાગર જિલ્લામાં કોરોના પોઝીટીવના કારણે ૨૪ દર્દી ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ, લુણાવાડા, ૧૫૧ દર્દી હોમ આઈસોલેશન, ૯ દર્દી લુણાવાડા શિતલ નર્સિંગ કોલેજ, ૩ દર્દી એસ.ડી.એચ. સંતરામપુર અને ૧૦ દર્દી અન્ય જિલ્લા ખાતે સારવાર હેઠળ છે. કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી ૧૮૫ દર્દીઓ સ્ટેબલ, ૧૦ દર્દીઓ ઓક્સિજન પર અને ૨ દર્દી વેન્ટીલેટર પર છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JjjsZj

0 Response to "બાલાસિનોરમાં 8 દર્દી સહિત જિલ્લામાં કોરોના વાઇરસના 16 પોઝિટિવ કેસ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel