
ગિરનાર રોપ વે પર એક મહિનામાં 75000 લોકોએ સવારી કરી
અમદાવાદ, તા. 26 નવેમ્બર 2020 ગુરૂવાર
ગિરનાર રોપ વે શરૂ થયાને એક મહીનો પૂર્ણ થતા 75 હજાર લોકોએ રોપવેની સફર કરી મા અંબાની શક્તિ પીઠના દર્શન કર્યા. પીએમ મોદીએ ગત 24 ઓક્ટોબરના રોજ એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ વેનુ ઈ લોકાર્પણ કર્યું હતુ અને સી. એમ વિજય રૂપાણીએ જૂનાગઢ આવી રોપ વેમા સફર કરી મા અંબા ના દર્શન કર્યા હતા. ત્યારબાદ 25 ઓક્ટોબરથી લોકો માટે રોપવે ખૂલલો મુકવામાં આવ્યો હતો અને લોકો કોરોના ભૂલી રોપ વે મા સફર કરવા ઉમટી પડ્યા હતા અને એક મહિનામા જૂનાગઢ તેમજ બહારના મળી 75 હજારથી વધુ પ્રવાસીઓએ રોપ વેની મુલાકાત લીધી છે સાથે અમુક પ્રવાસીઓને ગિરનાર મા વસવાટ કરતા એશિયાટિક સિંહો પણ જોવા મળ્યા હતા ત્યારે લોકોને વધુ મનોરંજન મળે તે માટે ઉષા બ્રેકો કંપની દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.
જૂનાગઢના ગિરનાર પર્વત શરૂ થયેલા રોપ-વેના લોઅરથી અપર સ્ટેશન વચ્ચેનું અંતર 2126.40 મીટર છે. રોપ-વેની ટ્રોલી લોઅર સ્ટેશનથી નીકળ્યા બાદ ગિરનાર જંગલ તથા પથ્થરોની શિલાઓ પરથી પસાર થાય છે.
રોપ-વેની સફર દરમ્યાન ગિરનારની પર્વતમાળામાં ફેલાયેલી લીલોતરી તેમજ ગિરનારની બાજુમાં આવેલા હસ્નાપુર ડેમ શહેર અને ભવનાથ તળાવનો અદ્ભુત નજારાનો અનુભવ થાય છે. ગિરનારના શિખર પર પગથિયા ચડી જતાં ચારથી પાંચ કલાક માત્ર જવામાં જ થાય છે. તે રોપ-વેમાં માત્ર 15 મિનિટમાં આવ-જા થઈ શકે છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3q2Yuyw
0 Response to "ગિરનાર રોપ વે પર એક મહિનામાં 75000 લોકોએ સવારી કરી"
Post a Comment