
અમદાવાદમાં 57 કલાકના કરફ્યૂનો અંત : આજથી માત્ર રાત્રિ કરફ્યૂનો અમલ
મુખ્યમંત્રીની યુવાઓને અપીલ : રેસ્ટોરન્ટ, પાનના ગલ્લા, ચાની લારી વગેરે પર ભીડ એકત્રીત ન કરશો
અમદાવાદ, તા. 22 નવેમ્બર, 2020, રવિવાર
દિવાળીના તહેવારો બાદ કોરોનાનું સંક્રમણ રાજ્ય સરકારે અમદાવાદમાં 57 કલાકના કર્ફ્યુનો અમલ કરાવ્યો હતો. લોક ડાઉન વધશે તેવી અફવા વચ્ચે કરફ્યુનો અંત આવ્યો હતો અને વિકેન્ડ કરફ્યૂમાં લોકોએ સહકાર આપતા મુખ્યમંત્રી આભાર વ્યક્ત કર્યો હતો.આજથી અમદાવાદ સહિત વડોદરા, રાજકોટ, સુરતમાં રાત્રી કર્ફ્યુનો અમલ યથાવત્ રહ્યો છે.
મોડી સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જનતાને સંબત્ધન કરતાં જણાવ્યું હતું કે,ભુતકાળમાં આપણે સૌ સાથે મળીને દરેક સંક્રમણમાંથી સારી રીતે પાર ઉતર્યા છીએ. નાગરિકોએ ગભરાવવાની કોઇ જરૂર નથી.
રાજ્ય સરકારે હોસ્પિટલોમાં પૂરતા બેડ, ડૉક્ટરો તથા ત્વરિત સારવાર મળે તે માટેની બધી જ વ્યવસ્થાઓ સુનિશ્વિત કરેલી છે. આવતીકાલથી અમદાવાદ શહેરમાં રાત્રી કર્ફ્યુનો અમલ શરૂ થાય છે સાથો સાથ વડોદરા, રાજકોટ અને સુરતમાં પણ ગઈકાલથી જે રાત્રી કર્ફ્યુનો અમલ થયો છે તે ચાલુ રહેવાનો છે.
મુખ્યમંત્રીએ યુવાઓને અપીલ કરી છે કે સાંજથી રાત દરમિયાન રેસ્ટોરન્ટ, પાનના ગલ્લા, ચાની લારી વગેરે પર ટોળે વળીને ભીડ એકત્રીત ન કરે. બિનજરૂરી બહાર અવર જવર કરે નહિ. તેમણે યુવાનોને અનુરોધ કર્યો કે, તેઓ તો યુવા અવસ્થામાં સ્વસ્થ છે પરંતુ જો સંક્રમણ લઈને ઘરે જશે તો ઘરમાં વડીલોને અસર થશે એટલે યુવાનો ખાસ ધ્યાન રાખે.
અમદાવાદ રાજકોટ સુરત અને વડોદરા સિવાય રાજ્યના બાકીના નગરો અને ગામોમાં સંક્રમણ ન વધે તે માટે લોકો રાત્રે ઘરમાં જ રહે તેવી અપીલ મુખ્યમંત્રીએ કરી હતી. લોકો ફરજિયાત માસ્ક પહેરે જ તેવી ખાસ અપીલ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, માસ્ક ન પહેરનાર લોકો સામે રૂ. 1000/-નો દંડની કડક કાર્યવાહી પોલીસ કરશે તેવી સૂચનાઓ પણ આપી છે.
કોરોનાનું સંક્રમણ રોકવું એ અતિ આવશ્યક છે એટલે સૌ કોઇ ફરજિયાત માસ્ક, દો ગજ કી દૂરી અને વારંવાર હાથ ધોવા- સેનેટાઇઝ કરવા જેવી આદતો કેળવે અને તેનું અવશ્ય પાલન કરે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fmAH7u
0 Response to "અમદાવાદમાં 57 કલાકના કરફ્યૂનો અંત : આજથી માત્ર રાત્રિ કરફ્યૂનો અમલ"
Post a Comment