સૌરાષ્ટ્રમાં 295 કોરોનાગ્રસ્ત, 12 દર્દીનાં મોત

સૌરાષ્ટ્રમાં 295 કોરોનાગ્રસ્ત, 12 દર્દીનાં મોત

- રાજકોટ કુલ આંક 11 હજારે પહોંચવા આવ્યો ,જિલ્લામાં  વધુ 140 કેસ જામનગરમાં  આંશિક ઘટાડો, 28 લોકો વધુ સંક્રમિત બન્યા, બે ના મૃત્યુ 



રાજકોટ, તા.30 નવેમ્બર 2020, સોમવાર 

સોૈરાષ્ટ્રમાં કોરોનાને કંટ્રોલમાં લેવા માટે રાજકોટમાં છેલ્લા નવ દિવસ થયા છતાં તેનું કોઈ પરિણામ જોવા મળ્યુ નથી. રાજકોટમાં કોરોનાનાં કેસ સતત વધી રહયા છે સપ્ટેમ્બરમાં એક દિવસનાં ૧૦૦ ની ઉપર કેસ નોંધાતા હતા તેવો પીક પોઈન્ટ ફરી જોવા મળી રહયો છે. રાજકોટ સહિત સોૈરાષ્ટ્રમાં આજે છેલ્લા ર૪ કલાકમાં ર૯પ કેસ નોધાયા હતા જયારે ર૭૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા. દરમિયાન રાજકોટમાં આજે નવ દદીઓ સહિત  સોૈરાષ્ટ્રમાં ૧૧ નાં મોત નીપજયા હતા. 

દિવાળી બાદ પહેલી વાર રાજકોટ શહેરમાં આજે ૧૦પ કોરોનાનાં કેસ નોંધાતા રાજકોટમાં કુલ કેસનો આંકડો ૧૦૯ર૭ સુધી પહોંચી ગયો છે. હાલ રાજકોટમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા પણ વધીને ૭૩પ થઈ છે. શહેરમાં આજે ૭૮ દર્દીઓને રજા આપવામાં આવી હતી. રાજકોટમાં સપ્ટેમ્બર જેવો પીક પોઈન્ટ ફરી જોવા મળતા લોકોમાં ચિંતા ઉભી થઈ છે. જો કે ગ્રામ્યમાં થોડી રાહત અનુભવાઈ હતી આજે ૩પ કેસ નોંધાયા હતા. રાજકોટની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં આજે નવ દર્દીએ દમ તોડયો હતો. 

જામનગરમાં  કેસમાં અને મૃત્યુઆંકમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. જામનગર શહેરમાં ર૦ અને ગ્રામ્યમાં ૮ સહિત કુલ ર૮ લોકો સંક્રમિત બન્યા હતા. જી.જી. હોસ્પિટલમાં આજે વધુ બે દર્દીનાં મોત થયા હતા. હાલ ૧૪૪ લોકો સારવાર હેઠળ છે. એકટીવ કેસ વધી રહયા છે. દરમિયાન દેવભૂમી દ્રારકા જિલ્લામાંથી પણ રાહતનાં અહેવાલો મળી રહયા છે. ભાણવડમાં ત્રણ પોઝીટીવ દર્દીઓ નોંધાયા હતા જયારે એક દર્દીને રજા અપાઈ હતી. પ૮ હાલ સારવારમાં છે. 

જૂનાગઢમાં કોરોના હજુ કેડો મુકતો નથી. શહેરમાં ૧ર સહિત કુલ રપ કેસ નોંધાયા હતા. વંથલી અને કેશોદમાં ચાર - ચાર અને વિસાવદરમાં બે કેસ નોંધાયા હતા. જિલ્લામાં ૧૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ગીર સોમનાથ જિલ્લામાં ૧૦ લોકો સંક્રમિત થયા હતા તેમાં ઉનામાં ૩ અન વેરાવળમાં ર અને કોડિનારમાં ૧ કેસનો સમાવેશ થાય છે. પોરબંદરમાં ૪૩પ લોકોનાં ટેસ્ટ કરવામાં આવયા હતા તેમાં માત્ર એક જ પોઝીટીવ નોંધાતા લોકોએ રાહત અનુભવી હતી. 

અમરેલીમાં હજુ કોરોના નિયંત્રણમાં આવતો નથી. આજે વધુ ૧૮ કેસ નોંધાયા હતા જયારે ર૦ દર્દીને રજા આપવામાં આવી હતી. આજે વધુ  એક મોત થતા અત્યાર સુધીમાં સતાવાર રીતે કુલ ૩પ લોકોના મોત થયા છે. મોરબીમાં કોરોનાને લઈને ચિતાજનક સ્થિતિ બની રહી છે ગઈકાલે એક દર્દીનુ મોત થયા બાદ આજે વધુ રપ લોકો સંક્રમિત બન્યા હતા. મોરબી શહેરમાં ૧૩ કેસ અને વાંકાનેરમાં ૩ કેસ નોંધાયા હતા. ૧૭૯ એકટીવ કેસ છે. સુરેન્દ્રનગરમાં ર૩ , બોટાદમાં આઠ અને ભાવનગરમાં ૧૪ કેસ નોંધાયા હતા. એક જ દિવસમાં સોૈરાષ્ટ્રમાં ર૯પ કેસ નોંધાયા હતા. 

આ ખતરનાક સિલસિલો કયાં જઈને અટકશે ? 

સોરાષ્ટ્રમાં 400થી વધુ લોકો કોરોનાનાં ખપ્પરમાં હોમાયા 

48 હજારથી વધુ લોકો સંક્રમિત થયા, બિન સતાવાર આંક અનેક ગણો વધારે 

છેલ્લા નવેક મહિનાથી કોરોનાનો હાહાકાર મચી રહયો છે રોજે રોજ આ ખતરનાક વાયરસ લોકોનો ભોગ લઈ રહયો છે અને આ સિલસિલો કયાં જઈને અટકશે તે કોઈ કહી શકે તેવી સ્થિતિમાં નથી. સોૈરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સતાવાર રીતે ૪૦૦ થી વધુ લોકો કોરોનાનાંખપ્પરમાં હોમાયા છે જયારે બીન સતાવાર આંક તો અનેક ગણો વધારે છે.  ૪૮ હજારથી વધુ લોકો આ વાયરસથી સંક્રમિત થયા છે. આ રોગ કેટલો ખતરનાક છે તેનો અંદાજ આ આંકડા પરથી આવી શકે છે.સોૈથી વધુ રાજકોટમાં ૧૧ હજાર જેટલા કેસ નોંધાયા છે અને ૧ર૯ લોકોના મૃત્યુ થયાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યુ છે. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36otYXP

0 Response to "સૌરાષ્ટ્રમાં 295 કોરોનાગ્રસ્ત, 12 દર્દીનાં મોત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel