
ભાજપના નેતા પી વી એસ શર્મા સામે અખબારના સર્ક્યુલેશનના આંકડામાં ચેડા કરી 2.70 કરોડ પડાવ્યાની FIR થયા બાદ આત્મહત્યાનો પ્રયાસ
સુરત, તા. 17 નવેમ્બર 2020 મંગળવાર
સુરત ભાજપના નેતા પીવીએસ શર્માએ એક જ્વેલર્સ સામે નોટ બંધી દરમિયાન કરોડો રૂપિયાની કર ચોરી કરી હોવાનો આક્ષેપ કરાયો હતો. ત્યારબાદ તેમની સામે જ ઈન્કમટેક્સના દરોડા પાડયા હતા. દરોડાની કામગીરી દરમિયાન પીવીએસ શર્મા સામે ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા હતા.
ઈન્કમટેક્સ વિભાગની રેડ બાદ તેમની સામે અનેક તપાસ શરૂ કરવામાં આવી છે. જ્વેલર્સ સામે કચોરીના આક્ષેપ કરનારા ભાજપના નેતા સામે જ ખોટું કર્યાની ફરિયાદ થઇ રહી છે.
પૂર્વ આઈ ટી અધિકારી અને સુરત ભાજપના ઉપપ્રમુખ તથા 2015ની સાલમાં વિસ્તારના કોર્પોરેટર રહી ચૂકેલા પી વી એસ શર્મા સામે હવે કાયદાનો સકંજો કસાયો છે. તેમના દ્વારા ચલાવવામાં આવતા અખબાર માં સરકારી જાહેરાત મેળવવા માટે સર્ક્યુલેશન ના આંકડા ચેડા કર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે.
ન્યૂઝ પેપર ના વધુ સરક્યુલેશનની બોગસ એન્ટ્રીના આધારે ડી.એ.વી.પી. (ડાયરેકટોરેટ ઓફ એડવર્ટાઈઝમેન્ટ એન્ડ વિઝ્યુઅલ પબ્લિસિટી) ની સરકારી જાહેરાત થકી સિત્તેર લાખને પ્રાઇવેટ એડવર્ટાઇઝીંગ કંપનીઓ સાથે વિશ્વાસઘાત કરી કુલ બે કરોડ 70 લાખની રકમ મેળવી હોવા ની ફરિયાદ નોંધવામાં આવી છે.
આ ફરિયાદ બાદ તેમના ઘરે પોલીસ તપાસ શરૂ થઇ છે. આજ તપાસ દરમિયાન રવિવારે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેમને સુરતની મહાવીર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. શહેર ભાજપના નેતાએ આત્મહત્યાનો પ્રયાસ કરતાં ભાજપના નેતાઓ હોસ્પિટલ પહોંચી ગયા હતા. જોકે શર્મા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ શાના માટે કરવામાં આવ્યો છે તે હજુ બહાર આવ્યું નથી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fdb1u3
0 Response to "ભાજપના નેતા પી વી એસ શર્મા સામે અખબારના સર્ક્યુલેશનના આંકડામાં ચેડા કરી 2.70 કરોડ પડાવ્યાની FIR થયા બાદ આત્મહત્યાનો પ્રયાસ"
Post a Comment