કોમર્સમાં ખાલી બેઠકો કોલેજોને સોંપવા નિર્ણય ન કરાતા મુંઝવણ

કોમર્સમાં ખાલી બેઠકો કોલેજોને સોંપવા નિર્ણય ન કરાતા મુંઝવણ


અમદાવાદ, તા. 11 ઓક્ટોબર, 2020, રવિવાર

ગુજરાત યુનિ.ની કોમર્સની પ્રવેશ પ્રક્રિયામાં ચાર રાઉન્ડ બાદ હાલ 12 હજાર જેટલી બેઠકો ખાલી પડી છે ત્યારે હવે ખાલી બેઠકો કોલેજોને ભરવા સોંપાશે કે પાંચમો સેન્ટ્રલાઈઝડ રાઉન્ડ થશે તે હજુ સુધી નક્કી ન થતા પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓ મુંઝાયા છે.કોલેજો પણ અસમંજસતા ભરી પરિસ્થિતિમાં છે.

કોમર્સમાં 40 હજારથી વધુ બેઠકો સામે ચાર ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ રાઉન્ડમાં 28 હજાર જેટલી બેઠકો ભરાઈ છે. ચાર રાઉન્ડ પુરા થઈ ગયા છે અને છેલ્લો રાઉન્ડ પુરો થયાને ઘણા દિવસો થઈ ગયા છે પરંતુ હજુ સુધી ખાલી બેઠકો મુદ્દે નિર્ણય લેવાયો નથી.12 હજાર જેટલી બેઠકો ખાલી છે ત્યારે ખાલી બેઠકો હવે જે તે કોલેજોને આંતરિક મેરિટથી ભરવા સોંપવી કે પુરક પરીક્ષાના પરિણામ સુધી રાહ જોવી તે મુદ્દે યુનિ. સ્પષ્ટતા જ કરતી નથી. 

આ મુદ્દે સપ્તાહ પહેલા મળેલી સીન્ડિકેટ મીટિંગમાં પણ ચર્ચા થઈ હતી અને કુલપતિને સત્તા અપાઈ હતી તેમજ કોલેજોને બેઠકો સોંપવા પણ કેટલાક સીન્ડિીકેટ સભ્યોએ  રજૂઆત કરી હતી.પરંતુ યુનિ.દ્વારા કોઈ નિર્ણય લેવાતો નથી.

પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ હાલ રાહ જોઈને બેઠા છે અને કોલેજો પણ મુંઝાઈ છે.મોટા ભાગે ત્રણથી ચાર રાઉન્ડ બાદ કોલેજોને બેઠકો ભરવા સોંપી દેવાતી હોય છે પરંતુ આ વર્ષે આ મુદ્દો કેમ લાંબા સમય સુધી અનિર્ણિત છે તે મોટો પ્રશ્ન છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ifme0F

0 Response to "કોમર્સમાં ખાલી બેઠકો કોલેજોને સોંપવા નિર્ણય ન કરાતા મુંઝવણ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel