
ભુજમાં દલિતોની દોઢ કિમી લાંબી રેલી ૩૦મીથી જેલ ભરો આંદોલનની ચિમકી
ભુજ, ગુરૃવાર
બામસેફના કન્વીનર અને રાપરના એડવોકેટ મહેશ્વરીની હત્યા મામલે ૮ આરોપીઓની ધરપકડ કરવાની માંગ સાથે ભુજમાં દલિતોની વિશાળ રેલી નિકળી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં કચ્છભરમાંથી દલિત ભાઈ બહેનો જોડાયા હતા.
બહુજન ક્રાંતી મોર્ચા નામના સંગઠન દ્વારા આ રેલીનું આયોજન કરાયુ હતુ. ભુજમાં ટાઉનહોલ સામે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પણ કરી રેલીનું પ્રસૃથાન કરાયુ હતુ. આ રેલી સ્વામિનારાયણ મંદિર રોડ, ઓલ્ફ્રેડ હાઈસ્કુલ, વાણિયાવાડ, વીડી હાઈસ્કુલ, જયબુલી સર્કલ થઈ કલેકટર કચેરીએ પહોંચી હતી. દેવજીભાઈ કે હત્યારાઓ કો ફાંસી દો અને ભાજપ સરકાર હાય હાય જેવા નારા પોકારવામાં આવ્યા હતા. હતભાગી દેવજીભાઈના પત્ની મીનાક્ષીબેન અને સંગઠનના આગેવાનોના પ્રતિનિાધી મંડળે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયુ હતુ.
મીનાક્ષીબેને જણાવ્યુ હતુ કે, તેમના પતિની હત્યાને ૨૦ દિવસ વીતી ગયા હોવા છતા પોલીસે એક આરોપીને પકડી પાડી કામગીરી કર્યાનો સંતોષ માન્યો છે. નવ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવાઈ હતી પરંતુ બાકીના આરોપીઓ રાઉન્ડઅપ કરાયા હોવાનુ જણાવી વિિધવત ધરપકડ કરાઈ નાથી. જો આરોપીઓ સામે કડક પગલા નહિં ભરાય તો આગામી ૩૦ તારીખે જેલ ભરો આંદોલન છેડશુ તેવી ચીમકી આપી હતી. અંદાજે દોઢ કિલોમીટર લાંબી રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા થોડા સમય માટે વાહન વ્યવહાર પણ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.
રેલી આયોજક સામે જાહેરનામાનો ભંગ બદલ ગુનો નોંધાયો
ભુજ એ ડીવીઝન પોલીસે રેલીના આયોજનની મંજુરી મેળવનાર હિરજીભાઈ પ્રેમજીભાઈ સીજુ(ભુજ) સામે ૧૦૦થી વધુ માણસો એકઠા કરી મંજુરીની શરતો ભંગ કરવા બદલ અને સરકાર સામે બીન સંવિાધાનિક સુત્રોચ્ચાર કરવા બદલ કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો દાખલ કર્યો હતો.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2H8YVFu
0 Response to "ભુજમાં દલિતોની દોઢ કિમી લાંબી રેલી ૩૦મીથી જેલ ભરો આંદોલનની ચિમકી"
Post a Comment