
આશાપુરા મંદિરમાં હવનવિધિ સાથે પરંપરાગત પતરીવિધિ સંપન્ન થઈ
- રાજ પરિવાર દ્વારા મા.મઢમાં ૪ મિનિટમાં અને ભુજ મંદિરમાં ૧.૨૫ મિનિટમાં પતરીનો પ્રસાદ ઝીલાયો
કોરોના મહામારીના કારણે અશ્વિન નવરાત્રી દરમિયાન માતાનામઢ સ્થિત માં આશાપુરાનું મંદિર દર્શીનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું. પરંતુ વહીવટી તંત્ર દ્વારા પરંપરાગત પુજાવિધિની છુટછાટ વચ્ચે રાજાશાહી વખતથી યોજાતી ૪૭૦ વર્ષ જુની ચામરયાત્રા અને પતરીવિધિ સંદર્ભે ટ્રસ્ટ અને રાજવી પરિવાર વચ્ચે જાહેરનામાને લઈને વિવાદ સર્જાયા બાદ કચ્છની મુલાકાત આવેલા રાજ્યના મુખ્યમંત્રીની દરમિયાનગીરીથી રાજવી પરીવાર દ્વારા માતાનામઢ ખાતે આશાપુરા માતાજીના મંદીરે પરંપરાગત પતરીવિધિની ધાર્મિકવિધિ કરવામાં આવી હતી તથા ભુજના આશાપુરા માં ના મંદિરમાં પણ રાજવી પરીવાર દ્વારા પરંપરાગત પતરીનો પ્રસાદ ઝીલાયો હતો.
કચ્છના રાજવી પરિવાર દ્વારા વર્ષમાં ત્રણ મંદિરે તરીની પુજાવિધીનું આયોજન કરાય છે. આ અંગે રાજ પરિવારના કુંવર ઈન્દ્રજીતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અશ્વિની નવરાત્રીમાં લખપતના માતાનામઢ અને ભુજ આશાપુરા મંદિરે તેમજ શ્રાવણ સુદ આઠમે રૂદ્રાણી જાગીરે આ વિધિ યોજાય છે. પતરી એક વિશીષ્ટ સુગંધિત વનસ્પતિ છે. આઠમના દિવસે માતાજીના જમણા ખભા ઉપર મુકવામાં આવે છે. જાગરીયાના ડાકલાવાદન, મંદિરની ઝાલર અને ઘંટારવના અલૌકિક એકરૂપ નાદ વચ્ચે રાજ પરિવારના સદસ્ય તેમના અંગ વસ્ત્રની ઝોળી ફેલાવી પ્રસાદ ઝીલવા ઉભા રહે છે.
સાતમા નોરતે માતાનામઢ જાગીરના અધ્યક્ષ રાજાબાવાના હસ્તે હવનમાં બીડુ હોમાયા બાદ આઠમના દિવસે પરંપરાગત ચામર યાત્રા સાથે તેરા ઠાકોર મયુરધ્વજસિંહ જાડેજા માં આશાપુરા મંદિરે પહોંચ્યા હતા અને માં ના ચરણોમાં આરતી સાથે શીશ ઝુકાવી ચાર મિનિટમાં પતરીનો પ્રસાદ ઝીલ્યો હતો. તેની સમાંતરે ભુજના આશાપુરા મંદિરે દેવપર ઠાકોર કૃતાર્થસિંહે ૧.૨૫ મિનિટમાં પતરીનો પ્રસાદ ઝીલ્યો હતો અને માના આર્શીવાદ મેળવ્યા હતા.
કચ્છના રાજવીઓ આ પરંપરા અનુસાર માં આશાપુરા પાસે કચ્છી પ્રજાની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. માતાનામઢ ખાતે પરંપરાગત પતરીની ધાર્મિકવિધિની મંજુરી બદલ મુ. મંત્રી વિજયભાઈ રૂપાણીનો આભાર માન્યો હતો.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jpE4Ly
0 Response to "આશાપુરા મંદિરમાં હવનવિધિ સાથે પરંપરાગત પતરીવિધિ સંપન્ન થઈ"
Post a Comment