અબડાસામાં ફક્ત એક દિ'માં ૧૧ ફોર્મ ભરાયા

અબડાસામાં ફક્ત એક દિ'માં ૧૧ ફોર્મ ભરાયા

ભુજ, ગુરૃવાર

આગામી ૩ જી નવેમ્બરે અબડાસા વિાધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાનાર છે. જેના ભાગરૃપે પશ્વિમ કચ્છના ત્રણેય તાલુકાઓમાં રાજકીય રંગ જામ્યો છે. આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે આજે અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટયો હતો. આજે ૧૧ ઉમેદવારી પત્રો ભરાયા હતા. આ અગાઉ પણ સાત ઉમેદવારો ફોર્મ ભરી ચુકયા છે.

આજરોજ ૧-અબડાસા વિાધાનસભા મત વિસ્તાર પેટા ચુંટણી-૨૦૨૦ અંતર્ગત કુલ ૧૧ ઉમેદવારી પત્રો રજુ થયા હતા.  જે પૈકી સૈયદ મામદશા અભામિંયા અપક્ષ, બહુજન મુકિત પાર્ટીમાંથી યાકુબ આચારભાઇ મુતવા, અપક્ષમાંથી ઈબ્રાહિમ જાફર હાલેપોત્રા, અપક્ષમાંથી નુરલ જુમા જત, અપક્ષમાંથી ઈબ્રાહિમ આાધમ હિંગોરાએ તેમજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી શાંતિલાલ મેઘજીભાઇ સેંધાણીએ (ત્રણ) અને રાજેશ મમુભાઇ આયરે પણ ઉમેદવારી પત્ર ભર્યુ છે. નલિયામાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું ત્યારે કાર્યકરોની સભા યોજીને સંબોધન કર્યું હતું. કોંગ્રેસના આગેવાનોએ પક્ષપલટુ નેતાઓને જાકારો આપીને અગાઉની માફક જ કોંગ્રેસ પર વિશ્વાસ રાખવા મતદારોને અપિલ કરી હતી. આ અગાઉ ૭ ઉમેદવારી ફોર્મ ભરાયા છે જે સહિત અત્યાર સુાધીમાં કુલ ૧૮ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હોવાનું પ્રાંત અિધકારીએ જણાવ્યું છે.

દ્રોહ કરનારને પ્રજા નહીં સ્વિકારે, કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું

અબડાસા વિાધાનસભા બેઠક પર ઉમેદવારીપત્ર રજુ કરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે ત્યારે જીતના વિશ્વાસ સાથે આજે કોંગ્રેસના ઉમેદવારે નામાંકનપત્ર રજુ કર્યુ હતુ. નલિયાના જંગલેશ્વર ગ્રાઉન્ડ ખાતે કોંગ્રેસ દ્વારા વિજય સંકલ્પ સંમેલન યોજવામાં આવ્યુ હતુ. કોંગ્રેસના ઉમેદવાર ડો.શાંતિલાલ સેંઘાણીએ શુભ મુહૂર્તમાં ઉમેદવારીપત્રક ભર્યુ હતુ. આ વેળાએ કોંગી આગેવાનોએ પોતાના સ્વાગત પ્રવચનમાં જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ સાથે દ્રોહ કરનારને પ્રજા ચોક્કસાથી જાકારો આપશે. ઉમેદવાર સેંઘાણીએ ભાજપની નિતી રીતી સામે સવાલો ઉઠાવ્યા હતા અને આ ચુંટણીમાં રાજયની તમામ આઠ બેઠકો પર કોંગ્રેસ વિજય હાંસિલ કરશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nTTFX9

0 Response to "અબડાસામાં ફક્ત એક દિ'માં ૧૧ ફોર્મ ભરાયા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel