
માટીના દિવડાઓથી દિવાળીમાં રોશનીની પરંપરા અકબંધ
અમીરગઢ,તા.21 ઓક્ટોબર 2020, બુધવાર
આદિકાળથી દિવાળી જેવા પર્વો પર માટીના દિવડાઓ (કોરસિયાઓ)માં દિવાઓ કરી રોશની કરવામાં આવતી હતી. જે પરંપરા ગામડાઓમાં હજુ સુધી અકબંધ છે. માટે અમીરગઢમાં કુંભાર (પ્રજાપતિ) દ્વારા દિવાળી દિવડાઓ બનાવવાનું કાર્ય શરૃ કરેલ છે.
હાલમાં કોરોના વાયરસની મહામારી વકરેલ હોવાથી બધા તહેવારો ફીકા પડી ગયેલા છે ત્યારે હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર મનાતી દીવાળી આવી રહી છે. દિવાળીમાં ગ્રામ્ય વિસ્તારમાં માટીના દિવડાઓનો ઉપયોગ વધુ થતો આવ્યો છે. માટીના કોરસિયાઓમાં તેલના દિવડાઓ પ્રગટાવી પોતાના ઘરને ઝગમગતું કરી લોકો ખુશી મનાવી રહ્યા હોય છે. જ્યારે આ વર્ષે કોરોના મહામારીના કારણે ચાઈનાની લાઈટોનો વપરાશ ન થવાથી દેહમાં પ્રાચીનકાળથી પરંપરા મુજબ એકવાર ફરી માટીના દિવડાઓ જોવા મળશે. આથી કુંભાર (પ્રજાપતિ) સમાજદ્વારા પોતાના વારસાગત રોજગાર પ્રમાણે ચાકડાઓ ચડાવી દીધા છે અને તેના પર માટીનો ઘાટ ઘડી કોરસિયાઓ બનાવવાનું શરૃ કરેલ છે. દિવાળી માટે માટીના દિવડાઓ અને માટીના કુલડાઓનું મહત્વ વધારે હોય છે. કોરોનાના લોકડાઉનમાં કામ વિના બેસેલ કુંભાર પરિવારો ચાકડા પર બેસી ગયા છે અને ચાઈના માલ ન વાપરવા તેઓના બનાવેલ દિવડાઓ વધારો પ્રમાણમાં વેચાવાની આશાથી એક અનેરા આનંદ સાથે માટીના દિવડાઓ બનાવી રહ્યા છે. આ દિવડાઓ ગામડાઓમાં બનાવનાર પરિવાર ઘરે ઘરે ફરી આપી આવે છે. જ્યારે બજારમાં દુકાનો અને નાની લારીઓ ઉપર વેચાઈ રહ્યા જોવા મળે છે. જે ધનતેરસથી લઈ લાભ પાંચમ અને દેવ દિવાળી સુધી ઝગમગી ઉઠે છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HtVAB6
0 Response to "માટીના દિવડાઓથી દિવાળીમાં રોશનીની પરંપરા અકબંધ"
Post a Comment