
નવરાત્રિમાં શેરી ગરબા યોજવા સરકારની મનાઈ
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 9 ઓક્ટોબર, 2020, શુક્રવાર
નવરાત્રીના તહેવારોમાં માત્ર શેરીગરબાઓ પણ ન યોજવા દેવાનો નિર્ણય આજે ગુજરાત સરકારે કર્યો છે. માત્ર માતાજીની મૂર્તિ કે ગરબીની સ્થાપના કરીને આરતી કરી શકાશે. આ આરતીમાં પણ 200થી વધુ લોકો ઉપસ્થિત રહી શકશે નહિ. તેમ જ તેમણએ પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું સંપૂર્ણ પાલન કરવું પડશે. તેમાં પ્રસાદ વિતરણની છૂટ આપવામાં આવી નથી.
ગુજરાત સરકારની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે સરકારની સૂચનાનો ભંગ કરીન ેગરબાનું આયોજન કરનારાઓ સામે ઘટના સ્થળ પર જ કાયદેસર પગલાં લેવામાં આવશે. તદુપરાંત આગામી દિવાળી સુધી જાહેરમાં ઉજવણી કરવા માટે દરેક વ્યક્તિઓ સરકારની આગોતરી મંજૂરી લેવી પડશે.
મેળા, રેલી, પ્રદર્શનો, રાવણદહન, રામલીલા કે શોભાયાત્રા જેવા સામુહિક કાર્યક્રમો યોજીને મોટી માનવ મેદની એકત્રિત કરી શકાશે નહિ. દુર્ગાપૂજા, દશેરા, દિવાળી, નૂતન વર્ષના સ્નેહમિલન કે પછી ભાઈબીજ અને શરદપૂર્ણિમા જેવા ઉત્સવોની ઉજવણી માત્ર ઘરમાં રહીને પરિવારની સાથે જ કરવા સૂચના આપવામાં આવી છે.
મૃત્યુ બાદની અંતિમ ક્રિયામાં હવે 100 જણને હાજર રહેવાની છૂટ આપી છે. લગ્ન કે સત્કાર સમારોહમાં માત્ર 100 વ્યક્તિઓને ભાગ લેવાની છૂટ આપવામાં આવી છે.
લગ્ન સમારોહ હોટલ, હોલમાં કે પછી બૅન્કવેટ હોલ અથવા ઓડિટોરિયમમાં રાખવામાં આવે તો તેની કેપેસિટીના 50 ટકા લોકોને અને 200 જણની મહત્તમ મર્યાદામાં આમંત્રણ આપી શકાશે. આ કાર્યક્રમ માત્ર એક કલાક માટે જ યોજી શકાશે. 65 વર્ષથી મોટી વયના લોકોને, 10 વર્ષથી નાના બાળકોને તથા સગર્ભા માતાઓને આ સમારોહથી દૂર રાખવા જણાવવામાં આવ્યું છે.
કન્ટેન્ટમેન્ટ ઝાન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધામક સમારોહના આયોજનમાં પણ કેટલીક ચોક્ક્સ શરતોને આધીન પરવાનગી અપાશે. તદ્દનુસાર છ ફૂટની દૂરી સાથેનું ફિઝિકલ ડિસ્ટન્સ અને તે માટે ફ્લોર માકગ કરવાનું રહેશે. સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવો પડશે.
થર્મલ સ્કેનર, સેનીટાઇઝર સાથે ઓકસી મીટરની સુવિધા તેમજ સ્ટેજ, માઇક, ખુરશીને સમયાંતરે સેનીટાઇઝ કરવાના રહેશે. હેન્ડવોશ, સેનીટાઇઝરની સુવિધાનો તમામે ફરજિયાત અમલ કરવાનો રહેશે. સમારંભ દરમિયાન થૂકવા તેમજ પાન-મસાલા ગુટખા સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
*નવરાત્રિના ગરબા- દશેરા - દિવાળી - બેસતા વર્ષ નૂતન વર્ષ સ્નેહમિલનના શરદ પૂનમ ના તહેવારોની ઉજવણી સંદર્ભે રાજ્ય સરકારે માર્ગદર્શિકા બહાર પાડી છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતને ધ્યાનમાં લેતા 16મી ઓક્ટોબરથી જ માર્ગદર્શિકાનો અમલ કરવાની સૂચના આપી દેવામાં આવી છે.
નવી માર્ગદર્શિકા હેઠળ રાજ્યમાં કોઈપણ ગરબાના જાહેર કાર્યક્રમોનું આયોજન કરી શકશે નહિ. નવરાત્રી દરમ્યાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/ મૂત ની સ્થાપના અને પૂજા આરતી કરી શકાશે પરંતુ ફોટા કે મૂતને ચરણ સ્પર્શ નહીં કરી શકાય કે પ્રસાદ વિતરણ નહીં કરી શકાય*
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lyfj1g
0 Response to "નવરાત્રિમાં શેરી ગરબા યોજવા સરકારની મનાઈ"
Post a Comment