ભુજ નગર ૫લિકા તંત્રએ આખરે ઢોરવાડામાં ગાયોની સારવાર કરાવી

ભુજ નગર ૫લિકા તંત્રએ આખરે ઢોરવાડામાં ગાયોની સારવાર કરાવી

ભુજ, બુાધવાર

ભુજપાલિકા હસ્તકના ઢોરવાડામાં હાલે મોટીસંખ્યામાં રખડતા ઢોરને પકડીને રાખવામાં આવ્યા છે. પરંતુ તેની સારસંભાળ કે બિમારીમાં સારવાર કરાતી ન હોવાની બહાર આવેલી ફરીયાદ બાદ પાલિકા પર માછલા ધોવાતા આખરે  અબોલ પશુઓના હેલૃથચેકઅપ સાથે બિમાર ગાયોની સારવાર માટે પશુડોકટર બોલાવવાની ફરજ પડી હતી.

મળતી માહિતી મુજબ ઢોરવાડાના નામે દરમાસે લાખોના બિલ બનાવાય છે પરંતુ અહીંના ઢોરના કોઈ ધણીધોરી ન હોવાથી તેઓ સાથે માનવતા નેવે મુકીને વર્તન કરાતું હતું. હાલે અનેક પશુઓના સારવારના અભાવે મોત થઈ ચુક્યા છે તો અનેક ગાયો બિમાર છે આમછતાં તેઓને મરવા માટે છોડી દેવાઈ હતી. બીજીતરફ સરકારી પશુ હેલ્પલાઈન ૧૯૬૨ના ડોકટરો પણ સારવાર કરવાના બદલે પ્લાસ્ટીક ખાતી આ ગાયો આમ જ મરશે તેવા ઉડાઉ જવાબો આપીને રફુચક્કર થઈ ગયા હતા. જે મુદે ભુજની સામાજિક સંસૃથા દ્વારા વિરોધ કરીને ડોકટરો તાથા પાલિકા સામે આંદોલનની ચીમકી આપતા આખરે બંને જવાબદારોને પોતાનું કર્તવ્ય નિભાવવાની ફરજ પડી હતી. આજે ભુજપાલિકાના શાસકો દ્વારા ૧૯૬૨ હેલ્પલાઈનનો ઉપયોગ કરીને પશુઓ માટે ની કરૃણા એમ્બયુલન્સ બોલાવીને બિમાર ગાયોની સારવાર કરાવી હતી. તો બીજીતરફ પ્લાસ્ટીક ખાધેલા પશુઓને સારવાર કારગત નહીં નીવડે તેઓ આમ જ તરફડીને મરશે તેવી વાતો કરનારા ડોકટરોને પણ પશુઓની તપાસ કરવાની ફરજ પડી હતી. જેના કારણે અબોલ પશુઓને આખરે  સુશ્રુષા મળી હતી. આ અંગે જાગત સમાજસેવકો એ જણાવ્યું હતું કે, પાલિકાના એક નગરસેવક ખુદ ને પશુપ્રેમી કહે છે અને ખાનગી પશુ ચિકિત્સાલય ચલાવે છે આમછતાં સુાધરાઈના ઢોરવાડાના  બિમાર પશુઓ મુદે કોઈ તસ્દી કે અહીં ડોકિયુ કરવાની તસ્દી લેતા નાથી. કરોડોના ખર્ચે દાતાઓના સહયોગાથી પશુ ચિકિત્સાલય બન્યું છે પરંતુ અહીની બિમાર ગાયોને જાત નિગરાની હેઠળ સારવાર કરાવવા લઈ જવાની ફરજ નિભાવી નાથી. જે દર્શાવે છે કે, કહેવાતા ગૌભકતો માત્ર પોતાની નામના થાય તેવા જ કાર્યોમાં રસ લે છે. પડદાપાછળના કામો કરવામાં તેઓને રસ નાથી. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34z4Ag7

0 Response to "ભુજ નગર ૫લિકા તંત્રએ આખરે ઢોરવાડામાં ગાયોની સારવાર કરાવી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel