
કચ્છના શહેરી વિસ્તારોમાં નવરાત્રિના અભાવે ખાણી-પીણી બજારોને પણ ફટકો
ભુજ, તા. 12 ઓકટોબર 2020, સોમવાર
વૈશ્વિક મહામારીના કારણે લોકોના વ્યાપાર-ધંધા ઉપર માઠી અસર થઈ છે. લોકોને જીવ બચાવવો કે કામ કરવુ એને લઈને સમસ્યા ઉદભવી રહી છે. એક તરફ અનલોક જાહેર થતા ગુજરાતનો પોતીકો તહેવાર નવરાત્રિની ઉજવણી રદ્દ કરાઈ છે જો કે, ચોક્કસ નીતિ નિયમોની અમલવારી સાથે ચૂંટણી અવશ્ય યોજાશે. તેમાં નિયમોનું ચૂસ્ત પાલન કરવાનું છે. પુરતી તકેદારી રખાતી હોવા છતાં કચ્છમાં છેલ્લા ત્રણ માસમાં કોરોના વકરતો જ જાય છે. લોકોમાં કોરોનાનો હાઉ ઓછો થયો પણ તેની અસરમાંથી બહાર નથી આવ્ય. વિશ્વનો સૌથી લાંબો નવરાત્રિ પર્વ તહેવારોની આગવી ઓળખ ધરાવતા પાંચ દિવસીય દિવાળીનો તહેવાર પણ લોકો મન મુકીને નહીં માણી શકે.
અત્રે ઉલ્લેખનિય છે કે, નવરાત્રિમાં સૌથી વધારે ધમધમતું બજાર કોઈ હોય તો એ ખાણી-પીણીનું છે. હવે નવરાત્રિનુંજ આયોજન નહીં કરાય તો આ દિવસો દરમિયાન રાત્રિના ખાવા-પીવાની નાસ્તાની લારી ધારોકને શું થશે? હાલમાં પાણીપીણીના બજારોને ૧૦ વાગ્યા સુધીજ ખુલ્લી રાખવાની પરવાનગી છે હવે નવરાત્રિ થવાની નથી ત્યારે સેન્ડવીચ, સમોસા, વડાપાઉ, દાબેલીના ધંધાર્થીઓનું શું ખેલૈયાઓના કહેવા મુજબ નોરતામાં ગરબે ઘુમ્યા પછી જે મજા આ બધું ખાવાની હતી તે જોવા નહીં મળે. સાથો સાથ ઠંડા પીણા, આઈસ્ક્રીમ પાર્લરોને ત્યાં પણ ગરબી પુરી થયા બાદ ઘરાકી જામતી પરંતુ કોરોનાનું ગ્રહણ લાગત ાનોરતા દરમિયાન પણ રસ્તા સુમસામ ભાસશે.
આ વરસે અસહ્ય ગરમી વચ્ચે પણ લોકો કોલ્ડ્રીંક્સ, આઈસ્ક્રીમનો સ્વાદ ત્યજી ૪૦ ડિગ્રીના તાપમાનમાં પણ ઉકાળા પીધા છે જેથી કોરોના પોતાનો પંજો ન ફેલાવી શકે. આમ માર્ચ માસમાં દેશમાં કોરોના પોઝીટીવ કેસ દેખાયા ત્યારથી તમામ એક પછી એક તહેવારોની ઉજવણી રદ્દ કરવામાં આવી હતી અને હવે નવરાત્રિ અને દિવાળી પણ સારા જાય એવા કોઈ અણસાર નથી દેખાતા ત્યારે આગામી ર૦ર૧ના નવા વર્ષના આગમન પહેલાં કોરોના વિદાય લે અને જનજીવન રાબેતા મુજબનું થાય તો ઈચ્છનીય છે.
0 Response to "કચ્છના શહેરી વિસ્તારોમાં નવરાત્રિના અભાવે ખાણી-પીણી બજારોને પણ ફટકો"
Post a Comment