ભુજમાં પાણીની સમસ્યા માનવસર્જીત : પાણીનો વેપલો

ભુજમાં પાણીની સમસ્યા માનવસર્જીત : પાણીનો વેપલો


- ૫ાલિકાના શાસકો અને પાણી વિભાગના એન્જીનીયર દ્વારા ગેરકાયદે કનેકશનો આપીને ભ્રષ્ટાચાર કરાતો હોવાનો આક્ષેપ

- જાગૃત નાગરિક અધિકાર મંચ દ્વારા તપાસ કરાતા નીકળ્યા ભોપાળા : જો નિયમિત વિતરણ નહીં થાય તો ૧૦ દિવસ બાદ દરેક વોર્ડમાં માટલાફોડ કાર્યક્રમ કરાશે 

ભુજ, તા. 20 ઓક્ટોબર 2020, મંગળવાર 


ભુજ નગર પાલિકા દ્વારા શહેરના ૧થી ૧૧ તમામ વોર્ડમાં અનિયમિત પાણી વિતરણ કરવામાં આવે છે. ૯૯ ટકા વિસ્તારમાં ૫થી ૭ દિવસે પાણી અપાઈ રહ્યું છે. ત્યારે આ સમસ્યા અમુક તત્વો દ્વારા ભ્રષ્ટાચાર કરવા માનવસર્જીત હોય તેવું ચિત્ર બહાર આવ્યું છે. 

જાગૃત નાગરીક અધિકાર મંચ દ્વારા ભુજ પાલિકાના પ્રમુખને પાણીની અનિયમિત સપ્લાર્ય બાબતે પ્રશ્ન કરાતા તેમણે જવાબદારીથી હાથ ખંખેરી નાખ્યા હતા અને જણાવ્યું હતું કે, ભુજ શહેરને ૪૮ એમએલડી પાણીની ખપત છે. જેની સામે નર્મદા, કુકમા સમ્પ, એરવાલ્વ તથા બોરમંથી રોજ ૩૮ એમએલડી પાણી મળે છે. તેથી નિયમિત સપ્લાર્ય નથી કરી શકાતી. જોકે, નગરપતિનું ગણિત કાચુ છે. કેમ કે,રોજ ૩૮ એમએલડી પાણી મળતું હોય તો બે દિવસ સંગ્રહ કરી ત્રીજા દિવસે આખા ભુજને પાણી મળી શકે અને વધે તે નફામાં. પરંતુ પાણીની અનિયમિતતાનું કારણ પ્રમુખ, કારોબારી ચેરમેન, પાણી સમિતિના ચેરમેન તથા પાણી પુરવઠા શાખાના એન્જીનીયર તથા ચીફ ઓફીસર સર્જીત છે. આ કારણ અંગે મંચના સભ્યોએ ઉંડાણપુર્વક તપાસ કરતા અનેક સ્ફોટક વિગતો બહાર આવી હતી. 

આ અંગે પ્રથમ મંચના સભ્યોએ નર્મદાનું પાણી સપ્લાર્ય કરતા અધિકારી રાજેશ પટેલથી વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, સુધરાઈને રોજનું નર્મદાનું જ ૪૨ થી ૪૫ એમએલડી પાણી આપવામાં આવે છે. ઉપરાંત તેઓનું બોર અને ભારાપર યોજનાનું તો અલગ હોય છે. નર્મદાનું દર માસે પાણીનું બિલ પણ મુકવામાં આવે છે.

જો નર્મદાનું પાણી પુરૂ ન આવતું હોય તો બિલ શા માટે સ્વીકારવામાં આવે છે. બીજું તેમણ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, ભુજપાલિકા  શા માટે પાણીના એરવાલ્વ, કુકમા સમ્પ પર મીટર મુકતી નથી.વચ્ચે થોડો સમય મીટર મુક્યા બાદ ફરી તેને  કાઢી મુકવામાં આવ્યા છે. જો મીટર મુકવામાં આવે તો  નર્મદાનું કેટલું પાણી મળે છે તેની ખબર પડી જાય જેથી પાલિકાના શાસકો અને એન્જીનીયરોની મિલીભગતથી ચાલતો પાણીના વેપલો બંધ થઈ જાય તેમ હોઈ મીટરને દુર કરી નખાયા છે. ત્યારે કલેકટર તાત્કાલિક અસરથી આ વેપલાને રોકવા મીટર મુકાવે અને આ મુદે ઉંડાણપુર્વક તપાસ કરાવી લોકોના ભાગનું પાણી વેંચતા તત્વો સામે કાયદેસરના પગલા ભરે તેવી માંગ કરાઈ છે. આગામી દિવસોમાં પાણી સમિતિના ચેરમેનની અણઆવડત અને ભ્રષ્ટાચાર તત્વોને ખુલ્લા પાડવા આક્રમક કાર્યક્રમો અપાશે. જો પાણી વિતરણ નિયમિત નહીં થાય તો દરેક વોર્ડમાં જઈને માટલા ફોડ કાર્યક્રમ આપવામાં આવશે તેવી ચીમકી અપાઈ છે.

ગેરકાયદે કનેકશન કાપવા ચેરમેન તથા એન્જીનીયર કોની લાજ કાઢે છે

પાલિકાના પાણી પુરવઠા શાખાના એન્જીનીયર તથા પાણી સમિતિના ચેરમેન શહેરમાં અપાયેલા પાણીના ગેરકાયદેસર કનેકશન કાપવામાં કોની લાજ કાઢી રહ્યા છ?ે તે તપાસનો મુદો બન્યો છે. ૫ વર્ષોમાં કેટલા ગેરકાયદે રીતે લીધેલા પાણીના જોડાણો કાપવામાં આવ્યા, તેની તપાસ થાય તો પણ દુધનું દુધ તથા પાણીનું પાણી થઈ જાય તેમ છે.

હોટલ, રીસોર્ટ્સને પાણીની અછત કેમ નડતી નથી?

ભુજના લોકો સપ્તાહો સુધી પાણીના વલખા મારે છે અને ટેન્કરો મંગાવે છે. જ્યારે નવાઈ વચ્ચે શહેરમાં ધમધમતી હોટલ, ગેસ્ટહાઉસ કે રીસોટ, સર્વિસ સ્ટેશનમાં ક્યારેય પાણીની અછત નડતી નથી તે તપાસનો મુદો છે. રીસોર્ટમાં કદાચ બોર હોઈ શકે પરંતુ હોટલ અને સર્વિસ સ્ટેશનોમાં તો ક્યારે પાણી ખુટયું હોય તેવી ફરીયાદો જોવા મળી નથી. તો આ પાણી તેમને મળે છે ક્યાંથી ? ખુદ ભાજપના નગરસેવકોએ આક્ષેપ કર્યો હતો કે, પાણી પુરવઠા શાખાના એન્જીનીયર પાણીનો વેપલો કરી રહ્યા છે. તથા ટેન્કરવાળા સાથે સાંઠગાંઠ ધરાવે છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Tc3Fgb

0 Response to "ભુજમાં પાણીની સમસ્યા માનવસર્જીત : પાણીનો વેપલો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel