લાયઝન અધિકારી મહિલા તબીબનું કોરોનાથી મોત

લાયઝન અધિકારી મહિલા તબીબનું કોરોનાથી મોત

પાલનપુર, તા. 21 ઓક્ટોબર 2020, બુધવાર

બનાસકાંઠા જિલ્લામાં કોરોના બેકાબુ બનેલા પ્રકોપ વચ્ચે પાલનપુર સિવિલની કોવિડ હોસ્પિટલમાં લાયઝન અધિકારી તરીકે ફરજ બજાવતા મહિલા તબીબ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર દરમિયાન કોરોનાથી સંક્રમિત થતા તેમને અમદાવાદની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજતા પાલનપુરના તબીબ આલમમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારીના કપરા સમયમાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પોતાની નૈતિક ફરજ સમજીને સતત તબીબી સેવા આપનાર એનેસ્થેટીસ્ટ વર્ગ-૧ અને કોવિડ હોસ્પિટલમાં લાયઝન ઓફિસર ડો. ગીતાબેન પટેલ પોતે શારીરિક બીમારી હોવા છતાં કોરોના પીડિત દર્દીઓની સારવારમાં વ્યસ્ત રહી ઉમદા ઉદાહરણ પુરું પાડતા તત્કાલીન સંદીપ સાગે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડો. ગીતાબેન પટેલનું કોરોના વોરીયર્સ તરીકે સન્માન કરવામાં આવ્યુ હતુ. જોકે કોરોના કાળમા પોતાની ફરજમાં એક પણ દિવસ ગેરહાજર રહ્યા વગર સંકટ ઘડીએ દર્દીઓની સેવામાં ખડેપગે રહી નિષ્ઠાપૂર્વક તબીબી સેવા આપનાર ડો. ગીતાબેન પટેલ આખરે કોરોનાથી સંક્રમિત થતા તેમને સારવારઅર્થે અમદાવાદની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મહિલા કોરોના વોરીયર્સ ડો. ગીતાબેન પટેલ કોરોના સામેના જંગમાં જિંદગીનો જંગ હારી જતા તેમના પરિવાર અને તબીબી આલમમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

મૃતક તબીબને કોરોના વોરીયર્સ તરીકે સન્માનિત કરાયા હતા

કોરોના સામેના જંગમાં લાદવામાં આવેલ લાંબા લોકડાઉનમાં પાલનપુર સિવિલના તબીબ ડો. ગીતાબેન પટેલ પોતે શારીરિક બીમાર હોવા છતાં એક પણ દિવસની રજા પાડયા વિના દર્દીઓને સતત તબીબી સારવાર પુરી પાડવા બદલ તત્કાલીન કલેક્ટર સંદીપ સાગલેના હસ્તે ડો. ગીતાબેન પટેલને કોરોના વોરીયર્સ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jdWK0A

0 Response to "લાયઝન અધિકારી મહિલા તબીબનું કોરોનાથી મોત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel