
પાટડી તાલુકાના અમનગરમાં મનરેગા હેઠળ બનેલા રોડના કામમાં ગેરરીતિ ?
પાટડી, તા.12 ઓકટોબર 2020, સોમવાર
સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારની વિવિધ યોજનાઓમાં ભ્રષ્ટાચાર થતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે પાટડીના અમનગર ગામથી વઘાડા તરફ જવાનો રસ્તો મનરેગા યોજના હેઠળ બનાવવામાં આવ્યો છે પરંતુ માત્ર કાગળ પર જ આ રસ્તાનું કામ થયું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાટડીના અમનગર ગામથી વઘાડા જવાનો રસ્તો મ.ન.રે.ગા. યોજના હેઠળ બનાવવામાં આવ્યો છે માત્ર કાગળ પર કારણ કે રસ્તાનું કામ અંદાજે રૂા.૮,૪૮,૧૧૪નું છે અને તેમાં થયેલ મટીરીયરલ ખર્ચ રૂા.૩,૧૬,૨૯૬ તથા મજુરી ખર્ચ રૂા.૧,૭૫,૫૪૦ અને કામ શરૂ થયા તા. ૧૮-૦૨-૨૦૨૦ તથા પૂર્ણ થયા તા. ૧૮-૦૩-૨૦૨૦ બતાવતું બોર્ડ આ રોડ પર મુકવામાં આવ્યું છે.
જે જોતાજ આ રસ્તેથી નીકળતા લોકોને આશ્ચર્ય થયું કે આ રોડ પર થોડી મેટલ નાખી છે અને આગળતો મેટલ પણ નથી તો આ રોડનું કામ પૂર્ણ કરી મસ મોટો ભ્રષ્ટાચાર થવાની બુ આવતાં આખો ભાંડો ફુટયો હતો અને આ બાબતે સરપંચે જણાવ્યું હતું કે હજુ રોડ થોડે સુધી જ બન્યો છે મેટલ પડી છે માટીકામ તો ક્યાંય થયું જ નથી અને આ બોર્ડ ક્યારે કોણ લાગી ગયું તે મને ખબર જ નથી.
ગામમાં કોઈ જ સુવિધા ન હોવાનું જણાવતાં કહ્યું હતું કે ગામમાં ગંદકી, રસ્તા પર પાણી, દબાણ જેવી સમસયાઓ છે. છેલ્લા આઠ મહીનાથી ભુગર્ભ ગટર લાઈનના પાઈપો રસ્તા પર મુક્યા હતા પરંતુ મીડીયાકર્મીઓ આવવાના હોય તંત્ર દ્વારા ગટરનું કામ શરૂ કરાવવામાં આવ્યું હતું તેમ પણ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું અને વધુમાં ગામમાં એક પણ થાંભલા પર એલઈડી લાઈટ જોવા ન મળતાં સરપંચે આ અંગે તમામ એલઈડી લાઈટો ખરાબ થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું.
જ્યારે આ અંગે રોડ બાબતે મનરેગાના એન્જીનીયર ટીડીઓ સાથે રૂબરૂ મુલાકાત કરતાં જણાવ્યું હતું કે કામ પૂર્ણ થયા બાદ જ પૂર્ણ થયાની તારીખ લખવામાં આવે છે પરંતુ આ રોડનું કામ અધુરૂ છે ત્યારે કામ પૂર્ણ થયાનું બોર્ડ કોણે લગાવ્યું ? રોડની કામગીરી માટે અંદાજે રૂા.૪,૯૬,૦૦૦ જેટલી રકમ ચુકવાઈ ગઈ છે છતાં બોર્ડ સપ્ટેમ્બર મહિનામાં મુકવામાં આવે અને માત્ર થોડે સુધી જ મેડલ નાંખી રૂપીયા ચાઉ કરી જવામાં આવ્યાં હોવાનું જણાઈ આવે છે.
જે અંગે સરપંચ પણ અજાણ હોય અને તલાટી અગાઉના તલાટી પર દોષનો ટોપલો ઢોળે છે આમ સરપંચ, તલાટી સહિતના અધિકારીઓની મીલીભગતથી પાટડી તાલુકાના અનેક ગામોમાં મનરેગા યોજના હેઠળ મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આમ પાટડીના અનેક ગામોમાં કામગીરી પૂર્ણ કર્યાના બોર્ડ લગાવી ઘણો સમય વિતવા છતાં હજુ પણ કામ પૂર્ણ થયાની તારીખ લખવામાં આવી નથી આથી આ અંગે તપાસ કરવામાં આવે તો મોટાપાયે ભ્રષ્ટાચાર સામે આવી શકે તેમ છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31gUcsD
0 Response to "પાટડી તાલુકાના અમનગરમાં મનરેગા હેઠળ બનેલા રોડના કામમાં ગેરરીતિ ?"
Post a Comment