ગુજરતામાં કોરોના અંકુશમા, 33માંથી 17 જિલ્લામાં એક્ટિવ કેસ 15થી નીચે આવી ગયા

ગુજરતામાં કોરોના અંકુશમા, 33માંથી 17 જિલ્લામાં એક્ટિવ કેસ 15થી નીચે આવી ગયા

<p>રાજ્યમાં ગઈકાલે કોરોનાના 70&nbsp; કેસ નોંધાયા છે જ્યારે 2 વ્યક્તિનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં આજે 128 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.&nbsp; હાલ રાજ્યમાં એક્ટિવ કેસની (Active Cases) સંખ્યા 2467 છે. જે પૈકી 10 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં એક દિવસમાં 128&nbsp; દર્દીઓ સ્વસ્થ થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 8,11,297 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.48 ટકા છે. અત્યાર સુધીમાં 2,68,07,725 ડોઝ કોરોના વેક્સીનના (CoronaVaccine) આપવામાં આવ્યા છે. આજે કુલ 2,65,647 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.</p> <p>રાજ્યમાં કોરોના અંકુશમાં આવ્યો છે જે રાહતની વાત છે. રાજ્યમાં 33માથી 17 જિલ્લાઓમાં એક્ટિવ કેસ 15થી નીચે આવી ગયા છે. જેમાંથી 8 જિલ્લાઓમાં 5થી ઓછા, 9મા 15થી ઓછા કેસ છે. ડાંગ જિલ્લામાં એક પણ એક્ટિવ કેસ નથી. ગુજરાતમાં બીજી લહેરનું પીક 30 એપ્રિલે હતું. એ પછી છેલ્લા 65 દિવસથી સતત કેસ ઘટી રહ્યા છે. પહેલી લહેરમાં પીક બાદ 32 દિવસ જ કેસ ઘટ્યા હતા.</p> <p>રાજ્યમાં અત્યારે કુલ એક્ટિવ&nbsp; કેસ 2 હજાર 467માથી 1 હજાર 849 કેસ એટલે કે 74.94% સાત મહાનગરપાલિકાઓમાં જ છે. કેસ ઝડપથી ઓછા થવા પાછળ રસીકરણ&nbsp; પણ એક કારણ છે. રાજ્યમાં 18+ના રસીકરણ માટે માન્ય 4.93 કરોડ વસતીમાંથી 2.08 કરોડ એટલે કે 42%ને પહેલો ડોઝ મળી ગયો છે. ડાંગ જિલ્લો કોરોના મુક્ત થયો છે. જ્યારે 27 ટકા લોકોએ પહેલો ડોઝ લઈ લીધો છે. પાટણમાં માત્ર 2 એક્ટિવ કેસ છે. જ્યારે 34 ટકા લોકોએ પ્રથમ ડોઝ લઈ લીધો છે.</p> <p>તાપીમાં માત્ર 3 એક્ટિવ કેસ છે. જ્યારે 39 ટકા લોકોએ પ્રથમ ડોઝ લઈ લીધો છે. દાહોદમાં માત્ર 2 એક્ટિવ કેસ છે. જ્યારે 27 ટકા લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો. મોરબીમાં માત્ર 2 એક્ટિવ કેસ અને 31 ટકા લોકોએ પ્રથમ ડોઝ લીધો છે. છોટાઉદેપુરમાં 3 એક્ટિવ કેસ અને 30 ટકા લોકોએ પ્રથમ ડોઝ લીધો છે. સુરેંદ્રનગરમાં 6 એક્ટિવ કેસ અને 34 ટકા લોકોએ પ્રથમ ડોઝ લીધો છે. નર્મદામાં 5 એક્ટિવ કેસ, સાબરકાંઠામાં 9, બોટાદમાં 11, કચ્છમાં 11, દ્વારકામાં 12, ખેડામાં 13, મહીસાગરમાં 13,બનાસકાંઠામાં 14 અને ભરૂચમાં 14 એક્ટિવ કેસ છે.</p> <p>જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં 200&nbsp; હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટ લાઇનવર્કર્સને પ્રથમ ડોઝ અને 6626 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45થી વધારેની ઉંમરના 44506 લોકોને પ્રથમ અને 69328 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે. આ ઉપરાંત 18-45 વર્ષનાં નાગરિકોની વાત કરીએ તો રાજ્યમાં રસીકરણનાં મોરચે 139401 લોકોને પ્રથમ ડોઝ અને 5586 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 2,65,647 લોકોને રસી અપાઇ ચુકી છે. ગુજરાતમાં કુલ 2,68,07,725 લોકોને અત્યાર સુધીમાં રસીકરણ થઇ ચુક્યું છે.</p>

from gujarat https://ift.tt/2Ujtf6O

0 Response to "ગુજરતામાં કોરોના અંકુશમા, 33માંથી 17 જિલ્લામાં એક્ટિવ કેસ 15થી નીચે આવી ગયા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel