Cyclone Tauktae: ગુજરાતના કેટલા ગામડાઓમાં હજુ છે અંધારપટ, જાણો વિગત

Cyclone Tauktae: ગુજરાતના કેટલા ગામડાઓમાં હજુ છે અંધારપટ, જાણો વિગત

<p><strong>ગાંધીનગર:</strong> તૌકતે વાવાઝોડાએ રાજ્યમાં તબાચી મચાવવાનું શરૂ કરી દીધું છે. રાજ્યમાં વાવાઝોડાના કારણે 4231 ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જેમાંથી જેમાંથી 1958 ગામડાઓમા ખોરવાંયેલ વીજ પુરવઠો પુનઃ ચાલુ કરવામાં આવ્યો છે. જ્યારે રાજયનાં 2273 ગામડાઓમા હજુ પણ વીજ પુરવઠો બંધ છે. 3502 ગામડાઓમાં ફીડર, 1077 વીજ પોલ અને 25 ટ્રાંસમીટર બંધ છે.</p> <p><strong>ભાવનગર જિલ્લામાં ત્રણ મોત</strong></p> <p>ભાવનગર જિલ્લામાં પિતા-પુત્રી સહિત ત્રણ લોકોના કરૂણ મોત થયાં છે.&nbsp;ભાવનગરના પાલીતાણાના નવાગામ બડેલી ખાતે મકાનનું છાપરું પડતાં પિતા-પુત્રીના મોત &nbsp;કરૂણ મોત થયા છે.&nbsp; ગારીયાધાર તાલુકાના પાંચટોબરા ગામમાં રૈયાબેન રણછોડભાઈ સરવૈયા (ઉ. વ. ૭૦) નામના વૃદ્ધા પતરાં વાળુ ઘર ધરાશાયી થવાથી મોત થયું છે.</p> <p><strong>વાવાઝોડાથી 188 તાલુકામાં વરસાદ</strong></p> <p>વાવાઝોડાની અસરના પગલે રાજ્યમાં 188 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ અમરેલીના બગસરામાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. ગીર સોમનાથ ના ગીર ગઢડામાં સાડા સાત ઇંચ વરસાદ પડ્યો છે. વલસાડના ઉમરગામમાં પણ સાડા સાત ઇંચ તથા ગીર સોમનાથના ઉનામાં સાત ઇંચ વરસાદ ખાબક્યો છે. અમરેલીના ધારીના ખોડિયાર ડેમમાં 18 હજાર ક્યુસેક પાણીની આવક થતાં આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે.</p> <p>અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. શહેરમાં પવનની ગતિમાં પણ વધારો થયો છે. વાસણા, શેલણા, એસજી હાઈવે, પ્રહલાદનગર, બાપુનગર, જોધપુર, વેજલપુર, આનંદનગર, ઈસ્કોન, થલતેજ, ગોતા, જીવરાજ પાર્ક, સેટેલાઈન, નિકોલ, નરોડા, સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.</p> <p>અમરેલીના સાવરકુંડલામાં સાત ઈંચ, ભાવનગરના પાણીતાણામાં સાડા છ ઈંચ, અમરેલી શહેરમાં સવા પાંટ ઈંચ, મહુવામાં પાંચ ઈચ, રાજુલામાં પાંચ ઈંચ, ખાંભામાં પાંચ ઈંચ, બાબરામાં પાંચ ઈંચ, ગઢડામાં ચાર ઈંચ, વિસાવદરમાં ચાર ઈંચ, ઉમરાળામાં પોણા ચાર ઈંચ,&nbsp; ધારીમાં ત્રણ ઈંચ, ભાવનગરમાં શહેરમાં ત્રણ ઈંચ, જેસરમાં પોણા ત્રણ ઈંચ, વલભીપુરમાં પોણા ત્રણ ઈંચ, તળાજામાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે.&nbsp;સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ તાલુકામાં વરસાદી માહોલ છે. ચુડા તાલુકામાં રાત્રે પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા છે. ચુડા તાલુકા વીજળી ગુલ થઈ છે.</p>

from gujarat https://ift.tt/3v1TiNi

Related Posts

0 Response to "Cyclone Tauktae: ગુજરાતના કેટલા ગામડાઓમાં હજુ છે અંધારપટ, જાણો વિગત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel