ઉત્તર ગુજરાતના શિવાલયો આજે બમ બમ ભોલેના નાદથી ગુંજશે

ઉત્તર ગુજરાતના શિવાલયો આજે બમ બમ ભોલેના નાદથી ગુંજશે

મહેસાણા તા.10

ઉત્તર ગુજરાતના શિવાલયોમાં આજે શિવરાત્રીના મહાપર્વ નિમિતે શિવાલયોમાં ઓમ નમઃશિવાય અને બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠશે તેમજ શિવલીંગ પર જળા ભિર્ષક, દુગ્ધાભિર્ષક બીલીપત્ર ચઢાવી ભોળાનાથને પ્રસન્ન કરવા પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવશે.

ધાર્મિક પરંપરા અનુસાર આમતો શિવની દરરોજ પૂજા કરવામાં આવે છે. સોમવારે શિવજીની પૂજા શિવભક્તો કરતા હોય છે. જ્યારે શ્રાવણ માસ અને શિવરાત્રી દરમીયાન શિવજીની વિશેષ પૂંજા અર્ચના કરવામાં આવે છે. જેમાં વહેલી સવારથી જ શિવભક્તો બિલિપત્ર, જળાભિર્ષક, દુગ્ધાભિર્ષક તેમજ પંચામૃત વગેરે દ્વારા ભોળાનાથને રીઝવવા પૂજા-અર્ચના કરે છે. તેમજ કેટલાક શિવાલયોમાં આઠેય પ્રોહરની પૂજા થતી હોય છે. 

મહેસાણાના  ભીમનાથ, પંચનાથ, નીલકંઠ મહાદેવ તેમજ તળેટી રોડપરના સોમનાથ મહાદેવમાં વિશેષ પૂજા-અર્ચના થશે. વડનગર પ્રાચીન ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિર પટાંગણમાં દર વર્ષે મેળાનું આયોજન થાય છે. પરંતુ ચાલુ સાલે કોરોના મહામારીના કારણે સરકારી ગાઇડ લાઇન અનુસાર પાળખીયાત્રા તેમજ વરઘોડો નીકળશે.પાલનપુર જિલ્લાના બાલારામ, અમીરગઢની ગીરીકુદરામાં આવેલ શિવાલયોમાં પણ ભક્તોની ભારે ભીડ જામ છે. ભોળાનાથ અજરા અમર જલદી પ્રસન્ન થતા દેવ હોવાથી લોકો મહાશિવરાત્રીના દિવસે એક ટાણું કે નિર્જળ ઉપવાસ કરી જીવનમાં સુખ શાંતિ મેળવવાની યાચના કરે છે. આ દિવસે શક્કરીયા અને કટેલાક મંદિરોમાં ભાંગનો પ્રસાદ વહેંચવામાં આવે છે. 




from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bxAv5g

0 Response to "ઉત્તર ગુજરાતના શિવાલયો આજે બમ બમ ભોલેના નાદથી ગુંજશે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel