
પુત્રને કેનાલમાં ફેંકી પિતાની મોતની છલાંગઃ પિતાનો મૃતદેહ મળ્યો
વાવ, તા.8
વાવ તાલુકાના દેવપુરા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં લાલપુરા ગામના ભાગીયા તરીકે રહેતા ખેડૂત પુત્રએ પહેલા કેનાલમાં પુત્રને ફેંકી દિધા બાદ પોતે અગમસ્ય કારણોસર કેનાલમાં ઝપલાવી આપઘાત કરતા સમગ્ર પંથકમાં સન્નાટો છવાયો હતો અને મોટી સંખ્યામાં ઘટના સ્થળે લોકો દોડી આવ્યા હતા.
વાવ તાલુકાના દેવપુરા ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં ગત રવિવાર ની મોડી સાંજે લાલપુરા ગામના ખેડૂત કલ્પેશ કરસન ઠાકોર ઉંમર આશરે ૩૨ વર્ષ તેઓ દેવપુરા ગામે ભાગીયા તરીકે મજૂરી કરતાં હતાં ત્યારે ગત રોજ રવિવારના બપોર બાદ ખેડૂત પુત્રએ અગમ્ય કારણસર પહેલા ત્રણ વર્ષના માસુમ પુત્રને કેનાલમાં ફેંકી પોતે કેનાલમાં આપઘાત કરતા સમગ્ર પંથકમાં સન્નાટો છવાઈ ગયો હતો . ઘટનાની જાણ લોકોને થતાં ઘટના સ્થળે લોકોના ટોળા દોડી આવ્યા હતા. ત્યારે ઘટનાની જાણ થરાદ નગરપાલિકાના તરવૈયા સુલતાન મિરને સોમવારે વહેલી સવારે કરાતા તરવૈયા દ્વારા ભારે શોધખોળ હાથ ધરતા ૧૫ કલાક બાદ કલ્પેશ કરસન ઠકોરનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો હતો. જ્યારે ત્રણ વર્ષના માસૂમ પુત્રનો કોઈ પત્તો ના લાગતાં પરિવારમાં આઘાત છવાયો હતો.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Od2Tkd
0 Response to "પુત્રને કેનાલમાં ફેંકી પિતાની મોતની છલાંગઃ પિતાનો મૃતદેહ મળ્યો"
Post a Comment